1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં 28-29મી માર્ચે હડતાળ પર જશે
રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં 28-29મી માર્ચે હડતાળ પર જશે

રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં 28-29મી માર્ચે હડતાળ પર જશે

0
Social Share

અમદાવાદ: રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણનો બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાની બેન્કોને મોટી બેન્કોમાં મર્જ કરી દેવામાં આવી છે. બેન્કની એનપીએ પણ વધતી જાય છે. આવી તમામ બાબતોનો બેન્કના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. પરિણામે આગામી તા. 28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોયી એસોસીએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે. જાણવા મળી રહ્યું છે કે, સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક કર્મચારીઓએ હડતાળની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બેન્કોના ખાનગીકરણ સામે અગાઉ પણ અનેક વખત બેંકોમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે. નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ ફરી એકવાર તા. 28 અને 29 માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જાણવા મળી રહ્યું છે કે નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની 8 માગણીઓ મુદ્દે બેંક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા હડતાળમાં જશે

નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની જે માંગણી છે જેમાં મુખ્યત્વે બેંકોનું ખાનગી કરણ બંધ કરવુ, બેંક લોનની રીકવરી શરુ કરવી, બેંકની થાપણના વ્યાજમાં વધારો કરવો, ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવો, નવી પેન્શન યોજના રોકો- DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, આઉટ સોર્સીંગ બંધ કરી કાયમી ભરતી કરવી, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જેવા મુદ્દે બે દિવસીય હડતાળ પાડવામાં આવશે. બેંક કર્મચારીઓના યુનિયને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલાં શનિ, રવિની રજા પણ આવશે અને ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે ચાર દિવસ સળંગ બેન્કના કામકાજ બંધ રહેશે. ચાર દિવસ બેંક બંધ રહેતા રાજ્યના આશરે રૂ. 25 હજાર કરોડના આર્થિક વ્યવહારો ખોરવાઈ જવાનો અંદાજ છે. આ હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઇઝ બેંકના 40 હજાર કર્મચારીઓ જોડાશે. કલેરિકલ કર્મચારીઓના યુનિયન ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને 28 -29 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code