1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તળાજાના સરતાનપર નજીક દરિયામાં નહાવા ગયેલા 3 બાળકો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ
તળાજાના સરતાનપર નજીક દરિયામાં નહાવા ગયેલા 3 બાળકો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ

તળાજાના સરતાનપર નજીક દરિયામાં નહાવા ગયેલા 3 બાળકો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ

0
Social Share

ભાવનગર, 24 મે, 2026: 2 children drowned while bathing in the sea near Sartanpar  જિલ્લાના તળાજાના સરતાનપર ગામ નજીક દરિયામાં નહાવા ગયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના ઉછળતા મોજાની ઝપેટમાં આવી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.આ બનાવને લીધે અફરા-તફરી મચી ગઈ હતી. કિનારે ઉભેલા સ્થાનિક લોકો અને પરિવારજનોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી, ગ્રામજનો અને સ્થાનિક માછીમારોએ ત્વરિત બચાવ કારગીરી કરીને ત્રણ બાળકો પૈકીની એક બાળકીને જીવતી બહાર કાઢી લીધી હતી, જેથી તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય બે બાળકો દરિયાના કરંટમાં તણાઈને ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા. બે બાળકોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયા કિનારે આવેલા સરતાનપર ગામ નજીક દરિયામાં નહાવા ગયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના ઉછળતા મોજાની ઝપેટમાં આવી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા  બાળકોને દરિયાના પાણીમાં ડૂબતા જોઈ કિનારે ઉભેલા સ્થાનિક લોકો અને પરિવારજનોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી, જેને પગલે કિનારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર સ્થાનિક માછીમારો અને લોકોએ તાત્કાલિક દરિયાના પાણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે ભારે જહેમત બાદ ત્રણ બાળકો પૈકીની એક બાળકીને જીવતી બહાર કાઢી લીધી હતી, જેથી તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, અન્ય બે બાળકો દરિયાના કરંટમાં તણાઈને ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા.

આ બનાવની સ્થાનિકો દ્વારા તળાજા ફાયર રેસ્ક્યુ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બચાવ કામગીરીમાં સરતાનપર ગામના સરપંચ, સ્થાનિક રહીશો અને દરિયાના પાણીના પ્રવાહથી વાકેફ સ્થાનિક તરવૈયાઓ પણ જોડાયા હતા. દરિયાના તોફાની મોજા વચ્ચે કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બંને બાળકો તરવૈયાઓને મળી આવ્યા હતા. દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે બંને બાળકો અર્ધમૂર્છિત અને અત્યંત નાજુક હાલતમાં હતા. તેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ બંને બાળકોને તબીબી તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બે-બે ચિરાગ બુઝાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ગોઝારી ઘટનાને પગલે સરતાનપર ગામ સહિત સમગ્ર તળાજા પંથકમાં ભારે શોક અને અરેરાટીનું મોજું ફરી વળ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code