1. Home
  2. ગુજરાતી
  3. ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગે રોજગારી પેદા કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ
ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગે રોજગારી પેદા કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ

ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગે રોજગારી પેદા કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ

0
Social Share
  • કોર્પોરેટ કંપનીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને એક સામાન્ય પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયાસ
  • કોહટ મહિન્દ્રા લાઈફ ઈન્સ્પોરન્સ કંપની લી. સાથે કર્યા એમઓયુ

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઑફ રિસેટલમેન્ટ (DGR), ડિપાર્ટમેન્ટ ઑફ એક્સ-સર્વિસમેન વેલફેર, સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં મેસર્સ કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ડીજીઆર અને કંપની વચ્ચેના એમઓયુ સંરક્ષણ સેવાઓમાંથી નિવૃત્ત થયેલા સન્માનિત ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગારની તકો ઊભી કરવા માટે કોર્પોરેટ કંપનીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવવા માંગે છે.

આ પ્રસંગે મેજર જનરલ શરદ કપૂર, મહાનિર્દેશક (પુનર્વસન)એ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી અમારા ભૂતપૂર્વ સૈનિકોને ઉદ્યોગ અને કોર્પોરેટ જગતમાં વધુ દૃશ્યતા પ્રદાન કરશે અને કુશળ માનવબળ અને પ્રતિષ્ઠિત બીજી કારકિર્દી પ્રદાન કરવામાં ઘણો આગળ વધશે. અમારા ભૂતપૂર્વ સૈનિકોને.ના ઉદ્દેશ્યો સિદ્ધ કરવામાં મદદ કરશે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસની હરણફાળ કરી છે. જેના પરિણામે અનેક વિદેશી કંપનીઓ ભારતમાં આવી રહી છે જેથી રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે. સરકાર દેશની સેવા કરનારા વીજ જવાનો અને તેમના પરિવારજનો માટે વિવિધ વિકાસલક્ષી કામગીરી કરી રહી છે. એટલું જ નહીં નિવૃત ભારતીય જવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગે રોજગારીની નવી તકો પેદા કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ કર્યાં છે. જેના પરિણામ સ્વરૂપ નિવૃત્ત આર્મી જવાનોને પોતાના કૌશલ પ્રમાણે રોજગારી મળી રહશે. તેવુ જાણકારો માની રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code