1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ અભિનેતા આમિર ખાને જાણીતા એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી!
ફિલ્મ અભિનેતા આમિર ખાને જાણીતા એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી!

ફિલ્મ અભિનેતા આમિર ખાને જાણીતા એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી!

0
Social Share

મુંબઇ : બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાને એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક છોડી દીધી હોવાનું ફિલ્મજગતમાં ચર્ચાઈ રહ્યું છે. આમિરે પોતાની પાસે આ બાયોપિકની તૈયારી માટે સમયનો અભાવ હોવાનું બહાનું કાઢ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આમિર પોતાના સમકાલીન સ્ટાર્સ શાહરુખ અને સલમાનની સરખામણીએ ઓછી ફિલ્મો કરવા માટે જાણીતો છે. ક્યારેક તો તે એક જ પ્રોજેક્ટમાં એક કે બે વર્ષનો સમય લગાવી દે છે. હાલ તે એક્ટર કરતાં પણ નિર્માતા તરીકે વધારે વ્યસ્ત છે.

આમિરે આ બાયોપિક સ્વીકારવામાં પણ ઘણો સમય લીધો હતો અને હવે તેણે આ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તે પહેલાં જ તે છોડી દીધી છે. આથી નિર્માતા દિનેશ વિજનનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાસ્ટિંગના તબક્કે જ અટવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ઉજ્જવલ નિકમ મુંબઈ વિસ્ફોટો, 26/11 એટેક તથા ગુલશન કુમાર હત્યા કેસ સહિતના અનેક હાઈ પ્રોફાઈલ કેસમાં કામ કરી ચૂક્યા છે. આમિર ખાનના ઈન્કારના કારણે તો હાલ આ પ્રોજેક્ટ અટવાયાનું ચર્ચાઈ રહ્યું છે. એટલુ જ નહીં ફિલ્મના નિર્માતા હવે આ ફિલ્મ માટે અન્ય અભિનેતાની આગામી દિવસોમાં શોધખોળ શરૂ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code