1. Home
  2. ગુજરાતી
  3. હરિયાણાના ગુરુગ્રામમાં મોટરકારને નડ્યો અકસ્માતઃ પાંચ વ્યક્તિઓના મોત
હરિયાણાના ગુરુગ્રામમાં મોટરકારને નડ્યો અકસ્માતઃ પાંચ વ્યક્તિઓના મોત

હરિયાણાના ગુરુગ્રામમાં મોટરકારને નડ્યો અકસ્માતઃ પાંચ વ્યક્તિઓના મોત

0
  • કારમાં સવાર તમામ વ્યક્તિ હોસ્પિટલના કર્મચારી હતી
  • ડ્યુટી પૂર્ણ કરીને ઘર તરફ જતા હતા
  • પોલીસે મૃતકોની ઓળખ મેળવા તપાસ શરૂ કરી

દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જોકે, કારમાં છ લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ કાર સવાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, કારમાં સવાર તમામ હોસ્પિટલના કર્મચારી હતા અને પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે  દૂર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાદરાણાથી પટૌડી જતા રોડ પર સરદાણા ગામ પાસે રોડની સાઈડમાં પડેલી ઈંટો સાથે મોટરકાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેથી કારમાં સવાર છ વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ તમામ લોકો જેનિસિસ હોસ્પિટલના કર્મચારી હતા અને તેમની ફરજ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુડચે-ફુડચા ઉડી ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

તેમજ પોલીસે મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ દૂર્ઘટના મધ્યરાત્રિ બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ સર્જાઈ હતી.

પોલીસે જણાવ્યું કે વાહન મહેન્દ્રગઢના કનિના વિસ્તારના એક વ્યક્તિના નામે નોંધાયેલું છે. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખ્યા છે. તેમજ પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code