1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત રેલવે સ્ટેશન ઉપર ટીકીટ વિના પ્રવાસ કરતા મુસાફરો પાસેથી નાણા ઉઘરાવતા પાંચ ટીસી ઝડપાયાં
સુરત રેલવે સ્ટેશન ઉપર ટીકીટ વિના પ્રવાસ કરતા મુસાફરો પાસેથી નાણા ઉઘરાવતા પાંચ ટીસી ઝડપાયાં

સુરત રેલવે સ્ટેશન ઉપર ટીકીટ વિના પ્રવાસ કરતા મુસાફરો પાસેથી નાણા ઉઘરાવતા પાંચ ટીસી ઝડપાયાં

0
Social Share

અમદાવાદઃ રેલવેમાં ટીકીટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોને ઝડપી લેવા માટે રેલવે વિભાગે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન સુરતમાં ટિકીટ વિના મુસાફરી કરનારા પેસેન્જરોને પકડીને તેમની પાસેથી મોટી રકમ પડાવતા પાંચેક ટીકિટચેકર (ટીસી) ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. તેમજ વિજિલન્સની કામગીરીને પગલે રેલવે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશનમાં વિવિધ પ્લેટફોર્મ ઉપર ટિકીટચેકર ફરજ બજાવતા હોય છે, એટલું જ નહીં ટીકીટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોને પકડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, કેટલાક ટીસી ખુદાબક્ષો સામે કાર્યવાહી કરવાને બદલે મોટી રકમ પડાવતા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે વિજિલન્સની ટીમે સુરત રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન પાંચ ટીસી ટીકીટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી મોટી રકમ પડાવતા ઝડપાયાં હતા. રેલવેના ઈતિહાસમાં પેહલી વખત આ રીતે એક સાથે પાંચ ટીસી કટકી કરતા ઝડપાયા છે. વિજેલન્સની ટીમે સંજીવ વર્મા, રજનીશ મિશ્રા, એસડી મૌર્ય, રોહિત અને અમિલ રાય નામના કર્મચારીને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. આ પાંચ ટીસી પાસેથી 3500, 2500, 2900 અને 4400 સુધીની રકમ મળી હતી. હાલ આ રેલવે કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. વિજિલન્સની કાર્યવાહીને પગલે રેલ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે ઝુંબેશ શરૂ કરાયું છે. એકાદ વર્ષમાં વર્ગ-1 ના 9 અધિકારીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. વર્ગ-2 ના 30 કર્મચારીઓ જ્યારે વર્ગ-3 ના 114 કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાયા . જ્યારે વર્ગ 4 ના 5 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code