સ્વતંત્રતા દિવસ પહેલા છત્તીસગઢની વિષ્ણુદેવ સરકારે એક મોટો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, છત્તીસગઢમાં તમામ મસ્જિદો, દરગાહ અને ઇમામબારગાહ તેમજ મુસ્લિમ ધાર્મિક સ્થળોએ ધ્વજવંદન ફરજિયાત કરવામાં આવશે.
છત્તીસગઢ રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ સલીમ રાજે જણાવ્યું હતું કે, “ભારતીય મુસ્લિમો ત્રિરંગાનું સન્માન કરે છે તેથી મસ્જિદો, દરગાહ, ઇમામ્બરો, ખાનકાહ અથવા મસ્જિદોની સામે ધ્વજ ફરકાવવો ફરજિયાત બની ગયો છે.”
દરેક મસ્જિદના ઇમામે ત્રિરંગો ફરકાવવો પડશે
તેમણે વધુમાં કહ્યું, “ધ્વજ ફરકાવવાનું કાર્ય દરેક મસ્જિદના ઇમામ અને મસ્જિદ સમિતિ દ્વારા કરવામાં આવશે. તેમણે આ ઘટનાના ફોટોગ્રાફ્સ પણ અમારા પોર્ટલ દ્વારા મોકલવાના રહેશે.”