1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને રૂ. 15,000 ની આર્થિક સહાય અપાશે
સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને રૂ. 15,000 ની આર્થિક સહાય અપાશે

સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને રૂ. 15,000 ની આર્થિક સહાય અપાશે

0
Social Share

અમદાવાદઃ લેહ-લદ્દાખ ખાતે જૂન મહિનામાં યોજાતી સિંધુ દર્શન યાત્રામાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લેહ-લદ્દાખ જાય છે. હવે રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને વ્યક્તિ દીટ રૂ. 15 હજારની આર્થિક સહાય કરશે.

સિંધુ દર્શન યોજના અંગે સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં વસવાટ કરનાર યાત્રિક દીઠ રૂ. 15,000 ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 751 યાત્રિકોને આર્થિક સહાય પેટે કુલ રૂ.112.65 લાખ ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સિનિયર સિટીઝન સરળતાથી દર્શન કરી શકે તે અર્થે ગુજરાત સરકારે ‘ શ્રવણ તીર્થ દર્શન યોજના’ અમલમાં મુકેલી છે.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code