1. Home
  2. ગુજરાતી
  3. વિદેશમંત્રી એસ જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત
વિદેશમંત્રી એસ જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત

વિદેશમંત્રી એસ જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત

0
Social Share
  • મંત્રી એશ જયશંકરે  પ્રિસં ક્રાઉન સાથે મુલાકાત કરી
  • વ્યાપક રણનિતી મામલે ચર્ચા

દિલ્હીઃ- ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે છે.વિતેલા દિવસને રવિવારે તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યૂએઈના સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી.

શનિવારે સંયુક્ત આરબ અમીરાત પહોંચેલા મંત્રી  એસ જયશંકરે કહ્યું કે તેઓ ક્રાઉન પ્રિન્સને મળીને ખૂબ જ સન્માનિત છે. તેમણે ટ્વિટ કર્યું કે હું મોહમ્મદ બિન ઝાયેદને મળીને ખૂબ જ સન્માનિત છું. તેમના સતત માર્ગદર્શને આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસમાં ફાળો આપ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોહમ્મદ બિન ઝાયેદને શુભકામનાઓ પાઠવી હતી અને UAE માટે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વધુ પ્રગતિ, સમૃદ્ધિ અને વધુ સુધારા થાય તેવી કામના કરી હતી. મોહમ્મદ બિન ઝાયેદે પણ ભારતની પ્રગતિ, પ્રગતિ અને વડાપ્રધાન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આ સમગ્ર સમયગાળા દરમિયાન, ભારતીય વાયુસેનાની સારંગ એરોબેટિક્સ ટીમ અને તેજસ એરક્રાફ્ટે રવિવારે દુબઈ એરશોના શરૂઆતના દિવસે તેમની ઉડ્ડયન કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય વાયુસેનાને UAE સરકાર દ્વારા દુબઈ એરશોમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code