1. Home
  2. ગુજરાતી
  3. RBIના પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલની  AIIB ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક – દેશને થશે ફાયદો
RBIના પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલની  AIIB ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક – દેશને થશે ફાયદો

RBIના પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલની  AIIB ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક – દેશને થશે ફાયદો

0
Social Share
  • ઉર્જીત પટેલ બન્યા  AIIB ના ઉપાધ્યક્ષ
  • ઈન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશને થશે ફાયદો

 

દિલ્હીઃ-  રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની બહુરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. બેંક સૂત્રોએ આજરોજ રવિવારે આ અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ બેંકનું હેડક્વાર્ટર ચીનના બેઇજિંગ શહેરમાં છે.

ઉલ્લેખનીય છે કે ભારત એઆઈઆઈબીનું સ્થાપક સભ્ય છે. ચીન પછી ભારત બીજા નંબરનો સૌથી વધુ મતદાનનો અધિકાર ધરાવતો દેશ છે. આ બેંકના ચેરમેન જિન લિકુઆન છે, જે ચીનના ભૂતપૂર્વ નાણા મંત્રી છે. 58 વર્ષીય પટેલ બેંકના પાંચ વાઇસ પ્રેસિડેન્ટમાંથી એક હશે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. આ સાથે જ ફેબ્રુઆરી મહિનામાં ઉર્જીત પટેલ તેમનો કાર્યકાળ સંભાળી શકે છે.

કાર્યકાળ સંભળતાની સાથે જ ઉર્જિત પટેલ AIIBના આઉટગોઇંગ વાઈસ પ્રેસિડેન્ટ ડીજે પાંડિયનનું સ્થાન લેશે. પાંડિયન દક્ષિણ એશિયા, પેસિફિક ટાપુઓ અને દક્ષિણ-પૂર્વ એશિયા માટે AIIBની લોનનો હવાલો સંભાળે છે. પાંડિયન અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા હતા. તેઓ આ મહિનાના અંત સુધીમાં ભારત પરત ફરવાના છે.

ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલ ભારતીય રિઝર્વ બેંકના 24મા ગવર્નર હતા. તેમણે 5 સપ્ટેમ્બર, 2016ના રોજ રઘુરામ રાજનની વિદાય બાદ પદભાર ગ્રહણ કર્યો હતો. પટેલે ડિસેમ્બર 2018માં અંગત કારણોસર ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે હવે  તેઓ એઆઈઆઈબીના ઉપાધ્યક્ષનું સ્થાન સંભાળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code