1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના ગરબાને યુનેસ્કોની યાદીમાં નોમિનેટ કરાતા હવે વૈશ્વિક ઓળખ મળશે
ગુજરાતના ગરબાને યુનેસ્કોની યાદીમાં નોમિનેટ કરાતા હવે વૈશ્વિક ઓળખ મળશે

ગુજરાતના ગરબાને યુનેસ્કોની યાદીમાં નોમિનેટ કરાતા હવે વૈશ્વિક ઓળખ મળશે

0
Social Share

અમદાવાદ: ગુજરાતના પ્રસિદ્ધ પારંપરિક નૃત્ય ‘ગરબા’ ને યૂનેસ્કોની અમૃત સાંસ્કૃતિ વિરાસતની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. અને કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષ માટે નવીનતમ નોમિનેશન પર વિચાર કરવામાં આવશે. યૂનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની શ્રેણીના ટીમ કર્ટિસે ગત ડિસેમ્બરમાં કલકત્તાના ‘દુર્ગા પૂજા ઉત્સવ’ને અમૃત સાંસ્કૃતિક વારસાની જાહેરાત કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાને નોમિનેટ કરવાને લઇને વિવરણ શેર કર્યું હતું. ગુજરાતના ગરબાનો યુનેસ્કોની યાદીમાં નોમિનેટ કરતા ગુજરાતના ગરબાની ઓળખ વૈશ્વિક બની જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમૃત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા પર યૂનેસ્કોના 2023ના સંમેલનની મધ્ય સરકાર સમિતિએ ગત વર્ષે ડિસેમ્બરમાં કલકત્તામાં દુર્ગા પૂજાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. મધ્યમાં મૂલ્યાંકન સંસ્થા દ્વારા નામાંકન ફાઈલોની ચકાસણી કરવામાં આવશે અને આગામી વર્ષના અંત સુધીમાં સમિતિના 2023 સત્ર માટેના નામો નક્કી કરવામાં આવશે. તેમણે ગરબા સહિતના અનેક નોમિનેટ થયેલી પરંપરા વિશેની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.કર્ટિસના પ્રેઝન્ટેશનમાંથી એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી અને તેનું શીર્ષક હતું ‘ગુજરાત કા ગરબાઃ ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ’. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ‘ફાઇલ હાલમાં સચિવાલયને ટેક્નિકલ પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. કર્ટિસે પોતાના સંબોધન દરમિયાન ભારતની સમૃદ્ધ અને વિવિધ સાંસ્કૃતિક વારસા માટે પ્રશંસા કરતાં લખ્યું હતું કે ‘તેની અમૃત સાંસ્કૃતિક વારસામાં વ્યાપકતા અને વિવિધતા છે. હાલમાં ભારત 14 અમૃત સાંસ્કૃતિક વારસા (આઇસીએચ) તત્વ આ યાદીમાં છે, જેમાં રામલીલા, વૈદિક મંત્રી, કુંભ મેળો અને દુર્ગા પૂજા સામેલ છે. હવે ગરબાને પણ સ્થાન મળશે.

ગરબાને યૂનેસ્કોની યાદીમાં નોમિનેટ કરવાને લઇને રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે ગરબાને યુનિસ્કોની યાદીમાં સમાવેશ તે ખૂબ જ ગર્વની વાત છે. ભારત સરકારે કરેલી ઉત્તમ કામગીરીને કારણે ગરબાને આજે યુનિસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે. આ વખતે નવરાત્રી દરમિયાન  કોરોના બાદ પ્રથમ વખત ધામધૂમથી ગરબાનું આયોજન થશે. તમામ ગુજરાતીઓએ એક થઈને ગરબાનો ઉત્સાહ સાથે આનંદ લેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code