1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કૂલપતિઓની નિમણૂંકના મુદ્દે સરકારની અણઘડ નીતિઃ કોંગ્રેસ
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કૂલપતિઓની નિમણૂંકના મુદ્દે સરકારની અણઘડ નીતિઃ કોંગ્રેસ

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કૂલપતિઓની નિમણૂંકના મુદ્દે સરકારની અણઘડ નીતિઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની આઠ સરકારી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરીથી શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમ પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ પર કબજો જમાવવાની માનસિકતા દ્વારા બહુમતીના જોરે પસાર કરેલા કાયદાથી શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકશાન થઇ રહ્યું છે. રાજ્યની આઠ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની કાયમી નિમણુંકો ન થાય તે માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે.  રાજ્ય સરકાર ખુદ શિક્ષણ વ્યવસ્થા ખાડે ધકેલવા આગળ વધી રહી છે બહુમતીના જોરે શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરતો પબ્લિક યુનિવર્સિટી એક્ટના નિયમોનું મનફાવે તે રીતે અર્થઘટન શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીની વ્યવસ્થાઓ જાણી જોઇને ખોરવાય, મનમાની ચલાવી શકાય તે દિશામાં રાજ્ય સરકાર એક પછી એક પગલા ભરી રહી છે. કરાર આધારિત કુલપતિઓના કરાર લંબાવવાની મેલી રમત રમાઈ રહી છે જેથી સરકાર અનુકુળતા મુજબ મનફાવે તેવા નિર્ણયો કરાવી શકે. શું આ છે ભાજપનું શિક્ષણ મોડલ ?

તેમણે કહ્યુ હતું કે, કૂલપતિ માટેની સર્ચ કમિટીમાં નિયુક્ત કરવામાં આવેલા સભ્ય યેન – કેન પ્રકારે કાયદા મુજબ ન હોવાથી સર્ચ કમિટીની કાર્યવાહીમાંથી મુક્ત થવું પડે તે શિક્ષણ વિભાગની મંશાને ખુલી પાડે છે. ગુજરાતની માત્ર ત્રણ સરકારી યુનિવર્સિટીઓ જેવી કે,  જી.ટી.યુ., ગુજરાત યુનિવર્સિટી અને એમ.એસ. યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ છે. જ્યારે  અન્ય આઠ યુનિવર્સિટીઓમાં  કરાર આધારિત અને કાર્યકારી કુલપતિથી વહીવટ ચાલી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ડમી સરકારી ઓફિસો, ડમી આઈએએસ, આઇપીએસ, વિગેરે ઓફિસર, મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીની કાર્યાલયના અધિકારીઓની જેમ કુલપતિને સર્ચ કમિટીના ત્રણ સભ્યોના નામોમાં પણ ડમી નામો આવી ગયા તે જવાબદારી કોની? સર્ચ કમિટીમાં પણ ડમી નામો રાખીને કરાર આધારિત કુલપતિઓને સમય લંબાવી આપવાનું મોટુ કૌંભાડ થઇ રહ્યાનું જણાય છે. સરકારી અધિકારીઓને ખબર જ હોય છે કે નામ કોનું મૂકી શકાય ? કાયદા મુજબ શું જોગવાઈ છે ? તેમ છતાં કુલપતિ પસંગી માટેની સર્ચ કમિટી આગળ કામગીરી કરીને કાયમી કુલપતિ પસંદગીને આખરી ઓપ ના અપાય અને બીજી બાજુ સંસદની ચૂંટણીને ધ્યાને લઇ અનેકને ગાજર લટકાવી શકાય તે પ્રકારનો ખેલ ગોઠવાઈ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code