
શરીરને સ્વસ્થ રાખવા શાકભાજીની સાથે સાથે લીલા મરચાનું પ્રમાણમાં સેવન જરુરી, જાણીલો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે
- લીલા મરચામાં અનેક ગુણો સમાયેલા છે
- મરચા પણ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક
જે રીતે શરીરને દરેક પોષક તત્વ મળી રહે તે માટે શાકભાજી કઠોળ જરુરી છે તે જ રીતે પ્રમાણમાં લીલા મરચા ખાવા પણ ખૂબ જ જરુરી છે. લીલા મરચા આમતો જો વધારે પડતા ખાઇ લઈએ તો શરીરને નુકશાન કરે છે પરંતુ જો રોજ દિવસ દરમિયાન એક લીલુ મરચું ખાવામાં આવે તો તે શરીરને ફાયદા પણ કરાવે છે.ખાસ કરીને લીલા મરચા નું સેવન કરવાથી સાઈનસમાં રાહત મળે છે
લીલા મરચામાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ હોય છે, અને આ ઘટકો ત્વચાના ડાઘને હળવા કરવામાં અને ફોલ્લીઓને દૂર રાખવામાં મદદ કરી શકે છે. લીલા મરચામાં માત્ર વિટામીન-સી જ નહીં પરંતુ વિટામિન-એ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
લીલા મરચાના તીખા સ્વાદને સ્વાસ્થ્ય માટે ગુણોનો ખજાનો ગણાય છે. તેમા અનેક પ્રકારના પોષક તત્વ રહેલા છે. જેમ કે, વિટામીન એ, બી-6, સી, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિતના તત્વ રહેલા છે. જે આપણા શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
મરચામાં કેપ્સાઈસિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે હૃદયની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. કેપ્સાઈસિન માત્ર હૃદયની બીમારીઓ માટે જ નહીં પરંતુ ડાયાબિટીસ માટે પણ ખૂબ સારું સાબિત થઈ શકે છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, તેથી તે માત્ર ત્વચાને સુધારવાની સાથે પાચન સમસ્યાઓને પણ દૂર રાખે છે. અમુક હદ સુધી લીલા મરચા ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહી શકે છે.
કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લીલા મરચાનું સેવન ફાયદાકારક હોય છે,ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે લીલા મરચાનું સેવન કરવુ યોગ્ય છે,આંખોની દ્રષ્ટિ વધારવામાં લીલા મરચાનો મહત્વનો ફાળો છેમરચાંમાં રહેલા વિટામીન એ તમારી આંખોની દ્રષ્ટિ વધારવા મદદરૂપ સાબિત થાય છે.
લીલા મરચાથી હૃદયથી સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે,લીલા મરચા શરીરમાં લોહીને જામવા દેતા નથી તેનાથી જે લોકોનું લોહી જાડુ હોય છે તે પાતળું થઇ જાય છે.લીલા મરચામાં કેલરી હોતી નથી. તેના સેવનથી તમે પોષક તત્વનો ગ્રહણ કરી શકો છો. જેના કારણ વજન ઉતારવામાં મદદરુપ છે.