1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે જમીનની કિંમત પર નહીં પણ માત્ર બાંધકામના ખર્ચ પર લાગશે GST
હવે જમીનની કિંમત પર નહીં પણ માત્ર બાંધકામના ખર્ચ પર લાગશે GST

હવે જમીનની કિંમત પર નહીં પણ માત્ર બાંધકામના ખર્ચ પર લાગશે GST

0
Social Share

અમદાવાદઃ જીએસટી કાયદામાં કેટલીક વિસંગતાને લીધે ઘણીવાર અરજદારોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડે છે. ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ વિભાદ દ્વારા જમીનની કિંમત અને બાંધકામની કિંમત ભેગી ગણીને તેના પર જીએસટી લેવામાં આવતો હતો. તેની સામે એક અરજદારે હાઈકાર્ટમાં રિટ કરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં એટલે કે જમીનની કિંમત નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગુ થશે.

આ કેસના અરજદાર મુંજાલ ભટ્ટે જણાવ્યું હતું કે જીએસટીના એક નોટિફિકેશન પ્રમાણે જમીનની કિંમત તથા બાંધકામની કિંમત ભેગી કરીને તેના એક તૃતીયાંશ જેટલી કિંમત બાંધકામની કુલ કિંમત ગણીને તેના પર જીએસટી ગણવામાં આવતો હતો. કાયદાકીય જોગવાઇ પ્રમાણે જીએસટી વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર જીએસટીની વસુલાત ન કરી શકે. ત્યારે જે કિસ્સામાં જમીનની ખરીદ કિંમત અલગથી દર્શાવતું એમઓયુ હોય અને તેની સાથે બાંધકામની કિંમત અલગ દર્શાવાઇ હોય તો તેવા કિસ્સામાં માત્ર બાંધકામની કિંમત જ ધ્યાને લઇ તેના પર જીએસટી વસુલવામાં આવે તેવો હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે.

રાજ્યમાં ઘણા સમયથી બિલ્ડર દ્વારા પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનારા વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર જીએસટી લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને મુંજાલ ભટ્ટ નામના કરદાતાએ જીએસટીના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં કરદાતોએ એ મુદ્દાને પડકાર્યો હતો કે, સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી છે. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી જીએસટીમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code