1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓનું 28-29 સપ્ટેમ્બરે તૃતિય મૂલ્યાંકન કરાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓનું 28-29 સપ્ટેમ્બરે તૃતિય મૂલ્યાંકન કરાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓનું 28-29 સપ્ટેમ્બરે તૃતિય મૂલ્યાંકન કરાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12 માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન 28 અને 29 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. બોર્ડ દ્વારા અત્યાર સુધી બે વખત પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે અને સપ્ટેમ્બરમાં તૃતીય મૂલ્યાંકન કરવામાં આવશે.

સૂત્રાના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી લેવામાં આવતી હતી. જોકે, શૈક્ષણિક વર્ષની શરૂઆત બાદ રાજ્યના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં એકમ કસોટીને લઈને રજૂઆતો થઈ હતી. જેના પગલે એકમ કસોટી રદ કરી તેના સ્થાને પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન પધ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આ પધ્ધતિથી જ સ્કૂલના વિદ્યાર્થીઓનું માસિક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12માં પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન લેવામાં આવે છે. અત્યાર સુધી બે વખત પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન પુર્ણ કરવામાં આવ્યા બાદ હવે તૃતીય પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકનનો બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 28 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બરના રોજ ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓનું પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે.

સૂત્રોએ દુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, 28 સપ્ટેમ્બરના રોજ સેશન-1માં ધોરણ-9 અને 10માં ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે સેશન-2માં વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ-11-12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ સેશનમાં નામું અને સમાજશાસ્ત્ર તથા બીજા સેશનમાં આંકડાશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ-11 અને 12 સાયન્સમાં પ્રથમ સેશનમાં રસાયણ વિજ્ઞાન અને બીજા સેશનમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. જ્યારે 29 સપ્ટેમ્બરના રોજ ધોરણ-9 અને 10માં પ્રથમ સેશનમાં સામાજિક વિજ્ઞાન અને બીજા સેશનમાં ગણિતની પરીક્ષા લેવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ સેશનમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની પરીક્ષા લેવાશે. જ્યારે બીજા સેશનમાં અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ-11 અને 12 સાયન્સમાં પ્રથમ સેશનમાં ગણિત અને જીવવિજ્ઞાન તેમજ બીજા સેશનમાં અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. પ્રશ્નબેંક આધારિત 25 ગુણની કસોટી માટે વિદ્યાર્થીઓને એક કલાકનો સમય આપવામાં આવશે. આ પરીક્ષા માટેના પ્રશ્નો બોર્ડ દ્વારા પરીક્ષાના દિવસે જ સવારે 8 વાગ્યે વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જેથી સ્કૂલોએ પરીક્ષાના દિવસે વેબસાઈટ પરથી પ્રશ્નો ડાઉનલોડ કરી તેના આધારે પ્રશ્નપત્ર તૈયાર કરી સ્કૂલના સમય દરમિયાન જ પરીક્ષા લેવાની રહેશે. સપ્ટેમ્બર માસમાં તૃતીય પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code