1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારની 10મી ચિંતન શિબિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શુક્રવાથી યોજાશે

ગુજરાત સરકારની 10મી ચિંતન શિબિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શુક્રવાથી યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સરકારના ઉચ્ચ અધિકારીઓ માટે દર વર્ષે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે 10મી ચિંતન શિબિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.  19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો  શુભારંભ કરાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા અધિકારીઓ જોડાશે.  ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન કરાશે તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતા નિર્માણને આવરી લેવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 19મીને શુક્રવારથી તા.21મી દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન કરાશે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, 2003 માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના 20 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જેમ, સ્વાગત જેવો ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ અપનાવ્યો છે. એ જ રીતે, ચિંતન શિબિરનું આયોજન એક યા બીજા સ્વરૂપમાં અન્ય સરકારોએ અપનાવ્યું છે. ઓકટોબર 2022 માં કેન્દ્ર સરકારે રાજ્યોના ગૃહ મંત્રીઓની ચિંતન શિબિર યોજી હતી. તો હાલમાં જ 11 મે ના રોજ કેન્દ્રના સામાજિક અને અધિકારિતા મંત્રાલયે પોતાના અધિકારીઓ માટેની ચિંતન શિબિર યોજી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code