1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતઃ હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો પણ લોકોની કરી શકશે સારવાર
ગુજરાતઃ હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો પણ લોકોની કરી શકશે સારવાર

ગુજરાતઃ હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો પણ લોકોની કરી શકશે સારવાર

0
Social Share
  • ડિગ્રી ધરાવનાર સ્નાતકો રજીસ્ટ્રેશન કરાવવું પડશે
  • અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે

અમદાવાદઃ રાજયના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ આરોગ્ય સુખાકારી વધે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે

આરોગ્ય વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર, વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ વડોદરામાંથી બેચરલ ઓફ નેચરોપેથી અને યોગીક સાયન્સ એટલે કે બી.એન.વાય.એસ.ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે તબીબોની ભારે અછત સર્જાઈ હતી. તેમજ મેડિકલ સ્ટાફની અછત પણ ઉભી થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code