1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનશે: આચાર્ય દેવવ્રતજી
ગુજરાત દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનશે: આચાર્ય દેવવ્રતજી

ગુજરાત દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનશે: આચાર્ય દેવવ્રતજી

0
Social Share

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે અમને જવાબદારી સોંપી છે. અમે અમારી જવાબદારી સમજીને ગુજરાત રાજયને દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનાવવાનો નિર્ધાર કર્યો છે એમ રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજયપાલએ રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ કેવી રીતે અલગ તરી આવે છે એ અંગે તર્કબદ્ધ વાતો કરી ખેડૂતોને રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી  તથા પ્રાકૃતિક ખેતી વચ્ચેની ભેદરેખાની વિગતે સમજ આપી હતી. ગુજરાત રાજ્ય દેશમાં પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને  માર્ગદર્શન આપતા પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે તેથી બંને યોગ્ય સંકલન તો ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાંથી વધુ ઉપજ મેળવી વધુ આવક મેળવી શકશે એમ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના  ખેડૂતો પશુપાલન પણ કરે છે. ગુજરાત સરકાર પશુ ધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજ્યપાલએ પશુપાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે. રાજ્યપાલએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય મિત્રજીવો જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે એમ કહી દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલએ સમજાવ્યું હતું.

રાજ્યપાલએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં 1500 જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે. તેમણે જણાવ્યું હતું કે, સારામાં સારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ તેમના કલસ્ટરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સમજ આપીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળશે તેમને સરકાર તરફથી દર મહિને 26000 રૂપિયા વળતર પેઠે ચૂકવવામાં આવશે. .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code