1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હરિયાણા સરકારનો મહત્વનો નિર્ણયઃ- કોરોનાના દર્દીઓને પતંજલિની એક લાખ કોરોનિલ કિટનું વિતરણ કરશે
હરિયાણા સરકારનો મહત્વનો નિર્ણયઃ- કોરોનાના દર્દીઓને પતંજલિની એક લાખ કોરોનિલ કિટનું વિતરણ કરશે

હરિયાણા સરકારનો મહત્વનો નિર્ણયઃ- કોરોનાના દર્દીઓને પતંજલિની એક લાખ કોરોનિલ કિટનું વિતરણ કરશે

0
Social Share
  • હરિયાણમાં કોરોનાના દર્દીઓને અપાશે કોરોનિલ કીટ
  • આરોગ્ય મંત્રી અનિલ વિજે કરી જાહેરાત

દિલ્હીઃ- પતંજલિની એક લાખ કોરોનિલ કીટ ઝડપથી રિકવરી માટે હરિયાણાના કોરોના દર્દીઓને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી અનિલ વિજે ટ્વીટ કર્યું હતું કે કોરોનિલનો અડધો ખર્ચ પતંજલિ અને અડધો હરિયાણા સરકાર કોવિડ રાહત ભંડોળમાંથી ઉઠાવશે.

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનિલ કોરોના દર્દીઓના ઉપચારનો દાવો કરે છે. તેથી, સરકાર હરિયાણાના લોકોના આરોગ્ય અને સારવાર માટે પ્રતિબદ્ધ છે. સરકાર કોરોના દર્દીઓની સારવારમાં કોઈ કમી છોડવા માંગતી નથી, અમે શક્ય તેટલું પ્રયત્ન કરી જ રહ્યા છીએ.

આરોગ્ય મંત્રી અનિલ વિજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રીય પ્રદર્શન કરવાના આહ્વાનને વિરોધી પક્ષોના સમર્થન પર તીખી ટિપ્પણી કરી છે. વિજે કહ્યું કે, વિરોધી પક્ષો ખેડૂતોના શુભેચ્છકો નથી. જો તેઓ હોત, તો તેઓએ તેમને રસી અને પરીક્ષણ માટે પ્રેરણા આપી હોત. તેઓ વિરોધી પક્ષોને પૂછવા માંગે છે કે શું તેઓએ ક્યારેય રસીકરણ માટે ખેડૂતોને પૂછ્યું છે? જો એમ કહેવામાં આવ્યું હોત તો વિરોધી પક્ષો તેમના શુભેચ્છકો હોત. તેઓ તેમના માટે ઘાતક છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code