1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટનો આદેશ, ફટાકડા ફોડવાનો નક્કી કરાયો સમય, આ કાર્યો પર લાગ્યા પ્રતિબંઘ
મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટનો આદેશ, ફટાકડા ફોડવાનો નક્કી કરાયો સમય, આ કાર્યો પર લાગ્યા પ્રતિબંઘ

મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટનો આદેશ, ફટાકડા ફોડવાનો નક્કી કરાયો સમય, આ કાર્યો પર લાગ્યા પ્રતિબંઘ

0
Social Share

મુંબઈઃ દિવાળીના પર્વ પહેલા જ દેશના મોટા શહેરો જેવા કે દિલ્હી મુંબઈમાં પ્રદુષણનું લેવલ સતત વઘતું જઈ રહ્યપં છે ત્યારે દેશની આર્થિક રાજઘાની ગણાતા મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટ એ આદેશ જારી કરીને કેટલીક પાબંઘિો લગાવી છે તો દિવાળઈમાં ફટાકડા ફોડવાનો સમય પણ મર્યાદિત કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબી હાઈકોર્ટે ફટાકડા ફોડવા માટે સમય નક્કી કર્યો છે મુંબઈ દિવાળી પહેલા વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે, બોમ્બે હાઈકોર્ટે વધતા પ્રદૂષણની સુઓ મોટુ સંજ્ઞા લીધી અને આદેશ આપ્યો કે વાયુ પ્રદૂષણને મર્યાદિત કરવા માટે દિવાળી પર ફટાકડા માત્ર સાંજે 7 વાગ્યાથી  10 વાગ્યાની વચ્ચે જ ફોડી શકાશે

એટલું જ નહી આ સમયમર્યાદાનો ભંગ ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 અધિકારીઓ પણ તૈનાત કરાયા હતા. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે દિવાળી સુધી તમામ બાંધકામ અટકાવી દેવા જોઈએ અને બાંધકામના કાટમાળને 10 નવેમ્બર સુધીમાં સંપૂર્ણ ઢંકાયેલ ટ્રકમાં બાંધકામ સ્થળ પર લઈ જવો જોઈએ.

ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ જીએસ કુલકર્ણીની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો નથી, પરંતુ મહાનગરમાં બગડતા એર ક્વોલિટી ઈન્ડેક્સ ને ધ્યાનમાં રાખીને સંતુલન જાળવવાની જરૂર છે.કોર્ટે વધુમાં કહ્યું હતું કે પ્રતિબંધ લાદવો સરળ નહીં હોય કારણ કે આ મુદ્દા પર લોકોના અલગ-અલગ મંતવ્યો છે અને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર બંધારણમાં સમાવિષ્ટ છે.

કોર્ટે તેના આદેશમાં કહ્યું કે માર્ચ 2023નો મુંબઈ વાયુ પ્રદૂષણ અધિનિયમ લાગુ કરવામાં આવશે અને તેમાં કોઈ ક્ષતિ ન થાય તે જોવાની મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની વ્યક્તિગત જવાબદારી હોવી જોઈએ.
વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ઘણા પગલાં લીધાં છે, જેમાં એન્ટી સ્મોગ ગન, બાંધકામ સ્થળો પર સ્પ્રિંકલર્સ અને પ્રદૂષણ નિયંત્રણનાં પગલાં લાગુ કરવા માટે વિશેષ ટુકડીઓ તૈનાત કરવાનો સમાવેશ થાય છે.તે જ સમયે, બાંધકામના કામ અંગે, એવું કહેવામાં આવ્યું હતું કે માત્ર તૈયાર-મિક્સ કોંક્રિટને બાંધકામ સાઇટ્સ પર લઈ જવામાં આવશે. આ અઠવાડિયે હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યા બાદ શુક્રવારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code