ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 21 જૂન 2026: International Yoga Day ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શાહે જણાવ્યું હતું કે યોગ શરીરને સ્વસ્થ, મનને શાંત અને જીવનને શાંતિપૂર્ણ બનાવે છે. તેમણે યોગને જીવનમાં સંતુલન જાળવવા અને સકારાત્મક રહેવાનું સાધન ગણાવ્યું હતું. શાહે એ પણ નોંધ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, યોગની વૈશ્વિક સ્વીકૃતિ વધી રહી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે યોગ એ ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાનું પ્રતીક છે, જે માનવતાના કલ્યાણ માટે માર્ગ મોકળો કરે છે. તેમણે ટિપ્પણી કરી કે યોગનો સાંસ્કૃતિક વારસો વૈશ્વિક જન ચળવળમાં વિકસિત થયો છે.
વધુ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગ કર્યા
tags:
defence minister rajnath singh Greetings Home Minister Amit Shah International Yoga Day revoi news


