1. Home
  2. ગુજરાતી
  3. ICC વર્લ્ડકપઃ ભારતીય ટીમના જોરદાર પ્રદર્શનમાં રોહિત શર્માનું વિશેષ યોગદાન
ICC વર્લ્ડકપઃ ભારતીય ટીમના જોરદાર પ્રદર્શનમાં રોહિત શર્માનું વિશેષ યોગદાન

ICC વર્લ્ડકપઃ ભારતીય ટીમના જોરદાર પ્રદર્શનમાં રોહિત શર્માનું વિશેષ યોગદાન

0
Social Share

ભારતમાં આઈસીસીનો વર્લ્ડકપ રમાઈ રહ્યો છે અને વર્લ્ડકપની ફાઈનલ આગામી રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. વર્લ્ડકપની તમામ લીગ મેચમાં ભારતીય ટીમોએ ભવ્ય જીત મેળવી છે. જ્યારે સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી પરાજ્ય આપીને ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. વર્લ્ડકપમાં વિરાટ કોહલી, શમી, શ્રૈયસ ઐયર સહિતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જો કે, ભારતીય કેપ્ટન રોહિત શર્માનું યોગદાન પણ અમૂલ્ય છે, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનના મતે ફાઇનલમાં પહોંચનાર ભારતનો અસલી હીરો કેપ્ટન રોહિત રહ્યો છે. રોહિત જે રીતે ઝડપી શરૂઆત આપી રહ્યો છે તેના કારણે ટીમ સારો સ્કોર કરવામાં સફળ રહી છે.

હિટમેન રોહિત શર્માની પ્રશંસા કરતા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, રોહિત પોતાના અંગત રેકોર્ડને બદલે પોતાની કુદરતી રમત પર ધ્યાન આપે છે. આ વર્લ્ડ કપમાં, રોહિત ઝડપથી રન બનાવવાની તેની કુદરતી શૈલીથી જોખમ ઉઠાવીને ઓછામાં ઓછી પાંચ સદી ચૂકી ગયો હશે, પરંતુ ટીમે મેચ જીતી લીધી છે અને કેપ્ટને કરોડો દિલ જીતી લીધા છે.

જ્યારે ભારત 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ રમશે ત્યારે રોહિત 36 વર્ષ અને 203 દિવસનો હશે અને કદાચ તેની પાસે ODI વર્લ્ડ કપ જીતવાની છેલ્લી તક હશે. આગામી પચાસ ઓવરનો વર્લ્ડ કપ 2027માં યોજાશે. આવી સ્થિતિમાં તેના માટે 40 વર્ષની ઉંમરે આગામી વનડે વર્લ્ડ કપ રમવો મુશ્કેલ લાગે છે. લગભગ સાડા સોળ વર્ષની કારકિર્દીમાં તેની પાસે ભારતને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સુવર્ણ તક છે.

હિટમેનની ભૂમિકા શરૂઆતમાં આવીને આક્રમક બેટિંગ કરવાની હોય છે. જો તેનું બેટ કામ કરે તો વિરોધી ટીમ શરૂઆતમાં જ શરણાગતિ સ્વિકારી લે છે. દક્ષિણ આફ્રિકા સામેની લીગ રાઉન્ડની મેચ અને ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલ સહિતની ઘણી મેચોમાં આ જોવા મળ્યું હતું. કેપ્ટન રોહિતે લગભગ તમામ મેચોમાં ભારતની મજબૂત શરૂઆત અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

રોહિતની બેટિંગે અત્યાર સુધી વિપક્ષી બોલરોને ડરાવ્યા છે. તે અત્યાર સુધીમાં 550 રન બનાવવામાં સફળ રહ્યો છે, જે ટૂર્નામેન્ટનો પાંચમો સૌથી મોટો સ્કોર છે. રોહિતે 55.00ની એવરેજથી રન બનાવ્યા છે, જ્યારે અન્ય ભારતીય બેટ્સમેનોની સરખામણીમાં તેનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ (124.15) રહ્યો છે. રોહિતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તેના અણનમ 131 રન આ વર્લ્ડ કપમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. રોહિતે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 62 ચોગ્ગા અને 28 છગ્ગા ફટકાર્યા છે, જે હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છે.

રોહિત શર્માના પૂર્વ કોચ દિનેશ લાડના જણાવ્યા અનુસાર, તે શાળાના સમયથી જ નિઃસ્વાર્થ કેપ્ટન રહ્યો છે. આજે તમે જે જોઈ રહ્યા છો તે રાતોરાત બન્યું નથી. તેમનું ધ્યાન હંમેશા વ્યક્તિગત લક્ષ્યોને બદલે ટીમની જરૂરિયાતો પર હોય છે. 2007 T20 વર્લ્ડ કપ જીત્યા પછી, તે 2009 અને 2011 વચ્ચે વધુ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ તેણે પુનરાગમન કરવાનું વચન આપ્યું હતું અને પહોંચાડ્યું હતું. મને તેની અંડર-19 દિવસની એક ઘટના યાદ છે. એકવાર અમે ક્યાંક ઊભા હતા અને એક ચમકતી મર્સિડીઝ રસ્તા પર ઊભી હતી. ત્યારે રોહિતે કહ્યું હતું કે, એક દિવસ હું આવી કાર ખરીદીશ. ત્યારે તેની ઉંમર 17 વર્ષની હશે અને ત્રણ વર્ષમાં તેની પાસે એક લક્ઝરી કાર હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code