1. Home
  2. ગુજરાતી
  3. ઘરના મંદિર કે ફોટા પર ચઢાવેલા ફુલના હાર સુકાઈ જાય તો તેને ફેેંકતા પહેલા આ વાંચીલો,તેમાંથી બને છે સુંગધીદાર ઘૂપ
ઘરના મંદિર કે ફોટા પર ચઢાવેલા ફુલના હાર સુકાઈ જાય તો તેને ફેેંકતા પહેલા આ વાંચીલો,તેમાંથી બને છે સુંગધીદાર ઘૂપ

ઘરના મંદિર કે ફોટા પર ચઢાવેલા ફુલના હાર સુકાઈ જાય તો તેને ફેેંકતા પહેલા આ વાંચીલો,તેમાંથી બને છે સુંગધીદાર ઘૂપ

0
Social Share
  • વેસ્ટ ફૂલોમાંથી બનાવો ઘૂપ
  • મંદિર કે ફોટા પર ચઢાવેલા હાર કે ફૂલો કેંકશો નહી

સામાન્ય રીતે દરેક ઘરમાં મંદિર હોય છે આ સાથે જ કેટલાક વડિલો ઘરના મોભી મૃત્યુ પામ્યા હોય છે, તેમના ફોટાઓ પણ ઘરની દિવાલ પર લાગેલા હોય છે જેના પર દરેક લોકો ફૂલોના હાર ચઢાવે છે, મંદિર હોય કે ફોટા હોય તેના પર ફૂલહાર ચઢાવીને તે સુકાઈ જાય પછી કતેને કચરાની પેટીમાં ફેંકી દેતા હોય છે જો કે આજે તેનો સરસ મજાનો ઉપયોગ કરતા શીખવીશું.

ગુલાબ અને ગલગોટાના ફૂલ ને છૂટા પાડીલો ત્યાર બાદ તેને તડકામાં સુકવી લો, હવે તેમાં 2-3 દિવસ તડકામાં સુકવીન રાખો જ્યા સુધી તે કરકરા થઈ જાય.

હવે તેમાં 4 -5 નંગ એલચી અને 10 -15 નંગ લવિંગ 10 કપુરની ગોળી નાખી દો અને મિક્સમાં ક્રશ કરી પાવડર બનાવી લો.

હવે જે ગાયના છાણા આવે તેનો એડધો ટૂકડો લો હવે  તેને પણ વાટીને ક્રશ કરીલો .

હવે જે ફુૂલોનો પાવડર બનાવ્યો હતો તેને આ છાણાના પાવડર માં મિક્સ કરીલો હવે તેમાં જરુર પ્રમાણે પાણી એડ  કરીને લોટ જેવું બાંધી દો.

હવે આ છાણા અને ફૂલોની જે કણક તૈયાર કરી છે તેમાંથી નાની નાની સ્ટિક જેવો શેપ આપીને સ્ટિક તૈયાર કરીલો  અને તેને તડકામાં સુકવવા રાખીદો, હવે તે એકદમ સુકાઈજાય એટલે તેને એક બરણીમાં ભરીને રાખઈદો

હવે જ્યારે સાંજ પડે ત્યારે આ બનાવેલી સ્ટિકને એક સાઈડથી ઘીમાં પલાળીને  માચીસ વડે  એક તરફ સળગાવીને ઓલવી દો એટલે અગર બત્તીની જેમ તે સળગશે અને ઘરમાં ઘૂમાડો ફેલાશે,

આ ઘીમાડાની સ્મેલથી ઘરમાં મચ્છર માખી નહી આવે અને કપુર હોવાથઈ ઘરમાં સારી સુગંઘ પણ પ્રસરશે.ફુલોના પાંદડજાની સ્મેલથી ઘર મહેકી ઇઠશે, તો હવે ફૂલોને કચરામાં નાખતા પહેલા આટલું કરી લો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code