ચોમાસામાં પેટની સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ કે ઉબકા આવવા વગેરેથી પરેશાન છો તો હવે અપનાવો આ નુસ્ખાઓ ,મળશે રાહત
ચોમાસામાં ઘણા ભાગે આપણે જરા પણ ફાસ્ટ ફૂડ કે બહારનો ખોરાક ખાઈએ છીએ તો આપણાને પેટને લગતી સમસ્યા થાય છે આવી સ્થિતિમાં તમારા ઘરમાં રહેલી વસ્તુઓ મરી, સંચળ, લીબું તમને આ સમસ્યામાં રાહત આપાવે છે,તો ચાલો જાણીએ પેટને લગતી સમસ્યામાં શું શું કરવું જોઈએ.
ફૂદીનોઃ-
જ્યારે પણ તીખો તળેલો ખોરાક ખાઈ લીધો હોય ત્યારે ફૂદાનીની પેસ્ટ બનાવી તેને સાદી સોડામાં મિક્સ કરીને એક જ શ્વાસે પી જવું આમ કરવાથી પેટની બળતરા તો દૂર થશે જ સાથે એસિટિડી પણ નહી થાય
મરીઃ-
જ્યારે ગેસ થયો હોય ત્યારે મરીને વાટીને તેમાં લીંબુનો રસ અને સંચળ નાખીને એક ગ્લાસ ડ્રિન્ક બનાવો અને તેનું સેવન કરો આમ કરવાથી ગેસ નીકળી જશે અને છાતીમાં દુખાવો પમ નહી થાય
સંચળઃ-
એક ગ્લાસ લીંહબુ શરબત બનાવીને તેમાં અડધી ચમચી સંચળ નાખીદો અને આ શરબતનું સેવન કરો આમ કરવાથી પેટને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે.
અજમોઃ-
3 ચમચી અજમાને લીંબુના રસમાં પલાળી દો. તેને સૂકવીને તેમાં કાળું મીઠું મિક્સ કરીલો. ગેસની સમસ્યાથી બચવા માટે આ મિશ્રણનું એક ચમચી દિવસમાં બે વાર સેવન કરી શકાય છે.
લીબુંઃ-
જો તમે કઈ પણ ખાવાના કારણે પેટની સમસ્યા થાય છે તો તમારે એક ગ્લાસ પાણીમાં એક લીબુંનો રસ નાખીને તેમાં થોડો સંચળ અને પા ચમચી મરીનો પાવડર નાખીને પીવું જોઈએ જેનાથી ગેસમાં રાહત થાય છે ઉબકા આવવા બંધ થાય છે.