
ગરમીમાં ફ્રીજનું પાણી પીવાથી ગળાને થાય છે નુકશાન, માટલાના પાણીની પાડી દો આદત, થશે આટલા ફાયદા
- ફ્રીજનું પાણી પીવાથી થાય છે નુકશાન
- ગરમીમાં માટલાનું પાણી પીવાથી ફાયદો થાય છે
હાલર ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં પાણી પુષ્ળક પાણી પીવાઈ છે, જો કે લોકો માટાભાગે ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે , ફ્રિઝનું પાણી આરોગ્ય માટે હાનિકારક હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે. તેમજ લાંબા ગાળે ગળાની ક્ષમતા પણ અચાનક ઓછી થઈ જાય છે.આ સાથે જ કાકરા થવાની શક્યતાઓ પણ વધે છે જેથી તરસની છીપાવા માટે માટલાનું પાણી જ પીવું જોઈએ.,
ગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગળામાં ઘણા પ્રકારના રોગ પણ થઈ શકે છે. તેમજ ગળું પાકવા ઉપરાંત ગ્રંથિઓમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે. જ્યારે દેશી ફ્રિજ તરીકે ઓળખાતા માટલાનું ઠંડુ પાણી આરોગ્ય માટે ફાયદા કારક છે.
માટલાનું પાણી કાળઝાળ ગરમીમાં લૂથી બચાવે છે. તેમજ માટીના ઘડામાં તળિયામાં નાના છિદ્ર હોય છે, જેમાં પાણી આસાનીથી ફિલ્ટર અને શુદ્ધ થઈ જાય છે. જેનાથી તેની ગરમી નાશ પામે છે. તેના કારણે માટીના માટલામાં રાખેલું પાણીનું તાપમાન ઓછું હોય છે.
માટલાનું પાણી પીવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. આ ઉપરાંત પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન એટલે કે મેલ સેક્સ હોર્મોનનું સ્તર વધે છે.
આ સાથે જમાટલાનું પાણી માટીમાં રહેલા ક્ષારના ગુણની એસિડિટી સાથે પ્રભાવિત થઈ યોગ્ય PH સંતુલન પ્રદાન કરે છે.જેથી ફ્રીજનું પાણી પીવા કરતા માટલાનું પાણી પીવું બેસ્ટ રહેશે, જો તમે પમ ફ્રીજનું પાણી પીવો છો તો હવેથી જ હવે માટલાનું પાણી પીવાનું શરુ કરી દો જે તમારા હીતમાં છે.