1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોની સહાય માટે 3 દિવસમાં 1000 અરજીઓ આવી
અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોની સહાય માટે 3 દિવસમાં 1000 અરજીઓ આવી

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોની સહાય માટે 3 દિવસમાં 1000 અરજીઓ આવી

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને લીધે ઘણાબધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.તત્કાલિન કાળમાં સ્થિતિ એવી ઊભી થઈ હતી કે, શહેરના સ્માશાનગૃહોમાં પણ વેઈટિંગલિસ્ટ ચાલતું હતું. તે કપરોકાળ પણ પૂર્ણ થઈ ગયો, કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામેલાના પરિવારને સરકારે 50,000ની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.  આ સંદર્ભની મૃતકોના પરિવાર પાસે અરજીઓ મગાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા 60 સિવિક સેન્ટર ઉપર બુધવારથી અરજી ફોર્મ મૂકવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સમગ્ર શહેરમાંથી એક હજાર અરજીઓ આવી હોવાનું સૂત્રોમાંથી જાવા મળ્યુ છે.

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનના તમામ સિવિક સેન્ટરો પર કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટે અરજી સ્વીકારવામાં આવી રહી છે. બુધવારે શહેરના પ્રત્યેક સિવિક સેન્ટર ઉપર 250 લેખે કુલ 15 હજાર જેટલા પરિશિષ્ટ-1 અરજી ફોર્મ મૂકવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ દિવસે 150, બીજા દિવસે 400 અને ત્રીજા દિવસે 450 અરજીઓ આવી હતી. નાગરિકો ઘરે બેઠા અરજી ફોર્મ મેળવી શકે તે માટે સરકારે વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ મૂક્યા છે. વેબસાઈટ પરથી લોકો ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે જરૂરી પુરાવા જોડી જે સિવિક સેન્ટરમાંથી ફોર્મ મેળવ્યું હોય તે જ સિવિક સેન્ટરમાં ફોર્મ જમા કરાવવા નિયમ બનાવાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાની મૃત્યુ સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ લેવા લોકો આવી રહ્યાં છે, પણ અરજી સાથે કેવા પ્રકારના પુરાવા રજૂ કરવાના છે તેને લઈ હજુ લોકો મૂંઝવણમાં છે. આ કારણે તેમણે સિવિક સેન્ટરના ધક્કા ખાવા પડે છે. બીજી તરફ મૃતકનો કોરોના રિપોર્ટ અને તેથીય અગત્યનું કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવવા ધક્કા ખાવા પડી રહ્યાં છે. કારણ કે ડેથ સર્ટી.માં મૃત્યુનું કારણ કોરોના હોવાનું લખેલું હોવું જરૂરી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code