1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,738 નવા કેસ નોંધાયા,40 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ  
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,738 નવા કેસ નોંધાયા,40 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ  

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,738 નવા કેસ નોંધાયા,40 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ  

0
Social Share
  • દેશમાં નથી અટકી રહી કોરોનાની રફતાર
  • 24 કલાકમાં 18,738 નવા કેસ નોંધાયા  
  • સક્રિય કેસ  1,34,933 થયા 

7 ઓગસ્ટ,દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધઘટ જોવા મળી રહી છે.આ સાથે મૃત્યુઆંક પણ નોંધાઈ રહ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18,738 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોવિડ-19 સંક્રમણના સક્રિય કેસ વધીને 1,34,933 થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5,26,689 લોકોના મોત થયા છે.સાથે જ, અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 34 લાખ 84 હજાર 110 લોકોને કોવિડ-19માંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

માહિતી અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં થયેલા 40 મૃત્યુમાંથી 8 લોકોના મોત કેરળમાં થયા છે.તે જ સમયે, કુલ કોરોના કેસોમાં સક્રિય કેસનો હિસ્સો 0.31 ટકા છે.આ સાથે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 98.50 ટકા છે. શનિવારની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 140 નવા કેસ વધ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code