1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારની કચેરીઓમાં જુનમાં સૌથી વધુ કર્મચારીઓ નિવૃત થતાં અનેક જગ્યાઓ ખાલી પડી
ગુજરાત સરકારની કચેરીઓમાં જુનમાં સૌથી વધુ કર્મચારીઓ નિવૃત થતાં અનેક જગ્યાઓ ખાલી પડી

ગુજરાત સરકારની કચેરીઓમાં જુનમાં સૌથી વધુ કર્મચારીઓ નિવૃત થતાં અનેક જગ્યાઓ ખાલી પડી

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાત સરકારમાં સચિવાયથી લઈને તાલુકા અને જિલ્લાઓની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. સરકાર દર વર્ષે કોન્ટ્રાક્ટથી કે કરાર આધારિત કર્મચારીઓની સેવા લઈને કાયમી ભરતી કરવામાં આવતી નથી. એટલે કર્મચારીઓની ખાલી જગ્યાઓ વધતી જાય છે. આ વર્ષે જુન મહિનામાં સૌથી વધુ કર્માચારીઓ વય મર્યાદાને કારણે  નિવૃત થયા છે. જેના કારણે વહિવટી તંત્રને અસર પડે તેવી શક્યતા ઊભી થઈ છે.

ગુજરાતમાં ચાલું નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન સૌથી વધુ સરકારી કર્મચારીઓની નિવૃતી નોંધાઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતના તમામ સરકારી ખાતાઓમાં મોટાપાયે કર્મચારી અને અધિકારી વર્ગની જગ્યાઓ ખાલી પડી છે. આથી તાકીદની અસરથી સરકાર દ્વારા તમામ રાજય સરકારના ખાતાઓમાં ભરતી કરવામાં આવે તે બાબત અનિવાર્ય બની ગઈ છે. દરમિયાન ગુજરાત રાજયના કર્મચારી મહામંડળના સુત્રોના કહેવા મુજબ ગત જુન માસ દરમિયાન ગુજરાતના તમામ સરકારી ડિપાર્ટમેન્ટમાંથી વર્ગ 1 થી 4ના 16,596 કર્મચારી અને અધિકારીઓ નિવૃત થવા પામ્યા છે. ચાલુ વર્ષની છેલ્લા એક મહિનાની આ સૌથી મોટી નિવૃતિ છે. જેના કારણે આજની સ્થિતિએ રાજય સરકારના જુદા-જુદા ખાતાઓમાં અસંખ્ય કર્મચારી અને અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે. મોટી સંખ્યામાં રાજયમાં નિવૃતીના કારણે હાલમાં એવી સ્થિતિ સર્જાય છે.કે જુદા-જુદા સરકારી ખાતાઓમાં કર્મચારી અને અધિકારીઓ પાસે એકથી વધુ ટેબલોનો ચાર્જ છે. જેના કારણે હાલમાં કાર્યરત કર્મચારી અને અધિકારીઓ ઉપર વર્કલોડ પણ વધુ પડતો થઈ ગયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત જુન માસ દરમિયાન કલાસ-1માં 281, કલાસ-2માં 679, કલાસ-3માં 13,221, અને કલાસ -4 2115, કર્મચારી અને અધિકારી નિવૃત થયા છે. આમ ગત જુન માસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષની સૌથી મોટી નિવૃતી નોંધાવવા પામી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 1.25 લાખ થી વધુ રાજય સરકારના કર્મચારી અને અધિકારીઓ નિવૃત થયા છે. અને સતત દરવર્ષ નિવૃતી વધી રહી છે. તેની સામે સરકાર દ્વારા પુરતા પ્રમાણ નવા કર્મચારી અને અધિકારીઓની ભરતી થઈ રહી નથી. આથી હાલમાં કાર્યરત કર્મચારી અને અધિકારીઓ ઉપર સતત વર્કલોડ વધી રહ્યો છે. વર્ષ 2022-23 દરમિયાન રાજય સરકારના સતત 950 અને વર્ષ 2021-22 દરમ્યાન 18770 કર્મચારી અને અધિકારીઓ નિવૃત થયા હતાં. હાલમાં જ એટલે કે ગત જુન માસ દરમિયાન સૌથી મહત્વના ગણાય તેવા એસ.ટી નિગમમાં પણ 502 જેટલા કર્મચારી નિવૃત થવા પામ્યા હતાં. ત્યારે રાજયના રેવન્યુ વિભાગમાં પણ આટલા કર્મચારી અને અધિકારીઓ નિવૃત થયા પામ્યા હતાં. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code