1. Home
  2. ગુજરાતી
  3. ભારત-બાંગ્લાદેશ વચ્ચે વેપાર વધ્યો, બંને દેશ વચ્ચે 100થી વધારે માલગાડીની અવર-જવર
ભારત-બાંગ્લાદેશ વચ્ચે વેપાર વધ્યો, બંને દેશ વચ્ચે 100થી વધારે માલગાડીની અવર-જવર

ભારત-બાંગ્લાદેશ વચ્ચે વેપાર વધ્યો, બંને દેશ વચ્ચે 100થી વધારે માલગાડીની અવર-જવર

0

નવી દિલ્હીઃ લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ કોલકાતા-ઢાકા મૈત્રી એક્સપ્રેસ, કોલકાતા-ખુલના બંધન એક્સપ્રેસ અને ન્યૂ જલપાઈગુડી-ઢાકા મિતાલી એક્સપ્રેસ નામની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનો ચાલી રહી છે. બંને દેશો વચ્ચે રેલ મારફતે વેપાર દર મહિને વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે લગભગ 100 માલગાડીઓ દોડી રહી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં લગભગ 2.66 એમટી સામાન બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો હતો. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવતી વસ્તુઓમાં સ્ટોન, ડીઓસી, અનાજ, ચાઈના ક્લે, જીપ્સમ, મકાઈ, ડુંગળી અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

વર્ષ 2020 થી પાર્સલ કન્ટેનર અને ન્યુ મોડીફાઈડ ગુડ્સ (NMG) રેક ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. સામાન્ય રીતે કૃષિ ઉત્પાદનો, કપડાં, તૈયાર માલ, હળવા વ્યાપારી વાહનો અને ટ્રેક્ટર વહન કરે છે. જીઓ-સિન્થેટિક બેગ મોકલવાની પ્રક્રિયા હમણાં જ શરૂ કરવામાં આવી છે અને 3 પાર્સલ ટ્રેનો ગુજરાતથી બાંગ્લાદેશ મોકલવામાં આવી છે. 

બાંગ્લાદેશમાં રેલ સેવા બહેતર બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને અનુરૂપ, જુલાઈ 2020 માં ગ્રાન્ટના ધોરણે બાંગ્લાદેશને 10 બ્રોડગેજ ડીઝલ લોકોમોટિવ્સ સોંપવામાં આવ્યા હતા. બાંગ્લાદેશે અહેવાલ આપ્યો છે કે આ લોકોમોટિવ્સ સારી રીતે કામ કરી રહ્યા છે અને બાંગ્લાદેશમાં સરળ રેલ ટ્રાફિકમાં ઉત્તમ યોગદાન આપી રહ્યા છે.

ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ સાથે વધારે સુધર્યાં છે. તેમજ ભારત સાથે આ દેશનો વેપાર પણ વધ્યો છે. એટલું જ નહીં અગાઉ મુશ્કેલીમાં મુકાયેલા શ્રીલંકા અને બાંગ્લાદેશને ભારતે જરુરી મદદ પણ પુરી પાડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.