
પ્રાણી પ્રત્યેનો અપાર પ્રેમ- પાલતું શ્વાનના મોતને જોઈને ખોલી નાખી ભારતની પ્રથમ પશુઓની વેન્ટિલેટર વાળી હોસ્પિટલ
- પોતાના પાલતું શ્વાનના મોતે હ્દય હચમચાવી દીધું
- ભારતની પહેલી વેન્ટિલેટર વાળી પશુંઓની હોસ્પિટલ ખોલી નાખી
માણસોનો પાણીઓ પ્રત્યેનો પ્રેમ અથાગ જોવા મળે છે, ઘણા લોકો તો એટલા પ્રાણી પ્રત્યે પ્રેમ દર્શાવે છે કે તેમનું હ્દય પોતાના પાલતુ પ્રાણીઓના મોતથી હચમચી જાય છે, આવી જ એક ઘટના ગુજરાતમાં બની છે, એક માણસે પોતાના પાલતુ શ્વાનને ગુમાવ્યાનું દુઃખ એટલું થયુ કે તેણે પ્રાણી માટે હોસ્પિટલ ખોલી નાખી.
ગુજરાતના એક વ્યક્તિ કે જેનું નામ છે શૈવલ દેસાઈ કે જેમણે એક વર્ષ પહેલાં પ્રાણીઓની તબીબી સુવિધાઓના અભાવને કારણે પોતાનો પાલતુ શ્વાન ગુમાવ્યો હતો તેમને આ વાત ખૂબ દીલ પર લાગી આવી હતી કે આ પ્રકારના અભાવે શ્વાન મોતને ભેંટ્યો, ત્યાર બાદ તેમને પ્રાણઈઓ માટે ખાસ વ્યવસ્થા વાળઈ હોસેપિટલ ખોલવાનું વિચાર્યું.
હવે પાલતુ સંબંધિત તમામ બાબતોને સંબોધવા માટે મલ્ટી-સ્પેશિયાલિટી અને નોન-પ્રોફિટ વેટરનરી હોસ્પિટલ ખોલી છે. અમદાવાદ સ્થિત આ હોસ્પિટલ ઓટી રૂમથી સંપૂર્ણ રીતે સજ્જ છે અને તે ભારતની પ્રથમ વેટરનરી વેન્ટિલેટર હોસ્પિટલ બનીને ઊભરી આવી છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન બેસ્ટબડ્સ પેટ હોસ્પિટલના સ્થાપક અવા શૈવલ દેસાઈએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મેં મારો શ્વાનને ગુમાવ્યો જે પછી પાલતુ પ્રાણીઓ માટે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિચાર આવ્યો હતો. તે દુઃખદ સમય હતો. સારી સુવિધાના અભાવે તે કૂતરાની સારવાર થઈ શકી ન હતી, ત્યારે જ મેં પાલતુ પ્રાણીઓ માટે હોસ્પિટલ ખોલવાનું નક્કી કર્યું.
શૈવલ દેસાઈએ કહ્યું કે હવે મેં પાળતુ પ્રાણી સંબંધિત દરેક વસ્તુ માટે વન-સ્ટોપ સોલ્યુશન ખોલ્યું છે એટલે કે સંપૂર્ણ સજ્જ ઓટી રૂમ અને ભારતનું પ્રથમ પશુચિકિત્સક વેન્ટિલેટર સાથે બિન-લાભકારી વેટરનરી હોસ્પિટલ છે.