1. Home
  2. ગુજરાતી
  3. દરિયાઈ ક્ષેત્રે ભારતની તાકાત થશે બમણી – INS વાગીરને 23 જાન્યુઆરીએ ભારતીય નૌસેનામાં સામેલ કરાશે
દરિયાઈ ક્ષેત્રે ભારતની તાકાત થશે બમણી – INS વાગીરને 23 જાન્યુઆરીએ ભારતીય નૌસેનામાં સામેલ કરાશે

દરિયાઈ ક્ષેત્રે ભારતની તાકાત થશે બમણી – INS વાગીરને 23 જાન્યુઆરીએ ભારતીય નૌસેનામાં સામેલ કરાશે

0
Social Share
  • દરિયાઈ ક્ષએત્રમાં ભારતની તાકાત થશે બમણી
  • એનઆઈએસ- વાગીર 23 તારીખે નૌસોનામાં સામે લ થશે

દિલ્હીઃ- ભારત દેશ પોતાની ત્રણેય સેનામાં વધુને વધુ તાકાતવર બનતો દેશ તરીકે ઊભરી રહ્યો છે આ સાથે જ મહત્વની વાત એ છે કે પીએમ મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુરક્ષા યંત્રો અને સાધનો ભારતમાં જ નિર્માણ થઈ રહ્યા છે જેના કારણે સુરક્ષા ક્ષેત્રમાં પણ ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે થોડા જ દિવસોમાં નૌસેનાની તાકાતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય નૌકાદળમાં 23 જાન્યુઆરીના રોજ રોજ પાંચમી કલવારી વર્ગની સબમરીન INS વાગીર સામેલ થવા જઈ રહી છે. આ પાંચમી ડીઝલ ઇલેક્ટ્રિક સ્કોર્પિન સબમરીન છે. આ વર્ષના અંત સુધીમાં નેવીને આવી છઠ્ઠી અને છેલ્લી સબમરીન મળી જશે.

આ સબમરીન ભારતમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા મેસર્સ નેવલ ગ્રૂપ, ફ્રાન્સના સહયોગથી બનાવવામાં આવી રહી છે.સબમરીન ‘વાગીર’, 12 નવેમ્બર 20 ના રોજ લોન્ચ કરવામાં આવી છે, જે અત્યાર સુધીની તમામ સ્વદેશી બનાવટની સબમરીનમાં સૌથી ઓછા બાંધકામ સમયમાં પૂર્ણ થવાનું ગૌરવ ધરાવે છે.

દરિયાઈ પરીક્ષણો શરૂ કરીને, તેણે 22 ફેબ્રુઆરીએ તેની પ્રથમ સફર કરી અને કમિશનિંગ પહેલાં વ્યાપક સ્વીકૃતિ તપાસો અને શ્રેણીબદ્ધ સખત અને પડકારજનક દરિયાઈ પરીક્ષણો પસાર કર્યા. સબમરીન મેસર્સ MDL દ્વારા 20 ડિસેમ્બર 22ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી.જે હવે નૌકાદળમાં સામેલ થવાના આરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code