1. Home
  2. ગુજરાતી
  3. ભારતના રાષ્ટ્રપતિ ગાંધીજીના ચિત્ર વાળો 5 પાઉન્ડનો સિક્કો બ્રિટને બહાર પાડ્યો
ભારતના રાષ્ટ્રપતિ ગાંધીજીના ચિત્ર વાળો 5 પાઉન્ડનો સિક્કો બ્રિટને બહાર પાડ્યો

ભારતના રાષ્ટ્રપતિ ગાંધીજીના ચિત્ર વાળો 5 પાઉન્ડનો સિક્કો બ્રિટને બહાર પાડ્યો

0
Social Share
  • બ્રિટનમાં ગાંધીજીની ચિત્રવાળો પાંચ પાઉન્ડનો સિક્કો બહાર પાડ્યો
  • બ્રિટનના ભારતીય મૂળના નાણાં મંત્રી રૂષિ સુનકે ગાંધીજીના ચિત્ર વાળો 5 પાઉન્ડનો સિક્કો બહાર પાડ્યો હતો
  • આ સિક્કામાં મહાત્મા ગાંધીજીની ચિત્રની જોડે જ ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ

નવી દિલ્હી: દિવાળી પર્વ નિમિત્તે ભારતના રાષ્ટ્રપિતાનું સન્માન કરતા અને ગાંધીજીના જીવનને યાદ કરતાં બ્રિટનના ભારતીય મૂળના નાણાં મંત્રી રૂષિ સુનકે ગાંધીજીના ચિત્ર વાળો 5 પાઉન્ડનો સિક્કો બહાર પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ સિક્કામાં મહાત્મા ગાંધીજીની ચિત્રની જોડે જ ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળને મૂક્યું છે. સોના અને ચાંદીમાં ઉપલબ્ધ એવા આ સિક્કાની ડિઝાઇન હિના ગ્લોવરે તૈયાર કરી હતી. આ સિક્કા ઉપર ગાંધીજીનું વિશ્વવિખ્યાત વિધાન મારું જીવન એ જ મારો સંદેશ લખવામાં આવ્યું છે. વિશ્વના કરોડો લોકોને પ્રેરણા આપનાર અને જગતના અત્યંત પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક એવા મહાત્મા ગાંધીને આ સિક્કા દ્વારા યોગ્ય શ્રદ્વાંજલિ આપવામાં આવી છે એ સુનકે કહ્યું હતું.

ભારત અને બ્રિટન વચ્ચેના સાસ્કૃતિક સંબંધો દિવસે ને દિવસે વધુ મજબૂત થતાં જાય છે અને ગાંધીજીના ચિત્ર વાળો આ સિક્કો પાડવો તે વાતનો પૂરાવો છે. યાદ રહે કે ભારત પણ હાલ તેની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

યુકેની રોયલ મિન્ટ (ટંકશાળ)ની વેબસાઇટ ઉપર આ સિક્કાનું વેચાણ મૂકવામા આવ્યું છે. આ વેબસાઇટ ઉપર દિવાલી કલેક્શન વિભાગ હેઠળ ભારતીયો માટે એક ગ્રામ અને ૫ ગ્રામના વજનના સોનાના બાર (નાના સળિયા) પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code