
- કેનેડામાં પણ ભારતના પીએમ મોદીના ભરપેટ વખાણ થઇ રહ્યા છે
- ભારતે કેનેડાને કોરોનાની રસી ઉપલબ્ધ કરાવી હોવાથી કેનેડા ભારતની કરી રહ્યું છે પ્રશંસા
- કેનેડામાં PM મોદીના પોસ્ટર થકી પીએમ મોદીનો આભાર વ્યક્ત કરાયો છે
નવી દિલ્હી: કેનેડામાં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ થઇ રહ્યા છે. ગ્રેટર ટોરન્ટોમાં રસ્તાઓ પર મોટા મોટા પોસ્ટર લાગ્યા છે. જેમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરાયો છે. વાત એમ છે કે ભારતે કેનેડાને કોરોનાની રસી ઉપલબ્ધ કરાવી હતી. જેના માટે થઇને કેનેડામાં પીએમ મોદીના પોસ્ટરવાળી જાહેરાતો લાગી છે.
કોરોના મહામારી વચ્ચે ભારતે વિશ્વના અનેક દેશોને રસી આપવાનું કામ કર્યું છે અને પોતાનો ધર્મ નિભાવ્યો છે. જેને લઇને અનેક દેશોએ ભારતના વખાણ કર્યા છે. ભારતે હાલમાં જ કેનેડા ઉપરાંત નેપાળ તેમજ બાંગ્લાદેશ સહિત અનેક દેશોને કોરોનાની રસી પહોંચાડી હતી અને કોરોના મહામારી સામે લડવામાં મદદ કરી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ કેનેડાના મંત્રી અનીતા આનંદે જણાવ્યું કે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ નિર્મિત કોવિશીલ્ડ રસીના 5 લાખ ડોઝનો પહેલો જથ્થો કેનેડા પહોંચ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે અમે ભવિષ્યના સહયોગ માટે તત્પર છીએ. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ને રસી આપવા માટે ભલામણ કરી હતી. જેન જેના પર પીએમ મોદીએ આશ્વાસન આપ્યું હતું કે કેનેડાએ કોવિડ રસીના જેટલા ડોઝ માંગ્યા છે, તેનો સપ્લાય સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કરવા માટે ભારત તમામ પ્રયત્નો કરશે.
નોંધનીય છે કે, ભારત પાસેથી કોરોના રસીના 20 લાખ ડોઝ મળ્યા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભગવાન હનુમાનની સંજીવની બૂટી લઇને જતો ફોટો શેર કરીને ટ્વીટ કરી હતી અને પીએમ મોદી તેમજ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત પાસેથી કોરોના રસીના 20 લાખ ડોઝ મળ્યા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભગવાન હનુમાનની સંજીવની બૂટી લઈને જતો ફોટો શેર કરીને ટ્વીટ કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે હિન્દીમાં ધન્યવાદ લખીને ભારત પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
(સંકેત)