
જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો થયાનો દાવો કરવામાં આવ્યો છે. આતંકવાદી ઘટનાઓમાં લગભગ 42 ટકા જેટલો ઘટાડો થવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટીકલ 370 દૂર કરવામાં આવ્યું હતું. તેના પહેલા 841 દિવસમાં લગભગ 843 જેટલી ઘટનાઓ બની હતી. જ્યારે આર્ટીકલ 370 હટ્યાના 841 દિવસમાં લગભગ 496 જેટલા બનાવો સામે આવ્યાં છે. આમ કાશ્મીરની ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં 42 ટકા જેટલો ઘટાડો થયો છે. 5 ઓગસ્ટ 2019 થી 26 જાન્યુઆરી 2022 સુધીમાં ઘાટીમાં કુલ 541 આતંકવાદી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં 439 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલામાં આપણા 98 જવાન શહીદ થયા હતા. તે જ સમયે, 109 નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા. લગભગ રૂ. 5.3 કરોડની અંગત સંપત્તિને પણ નુકસાન થયું હતું. ડિસેમ્બર 2020 થી નવેમ્બર 2021 સુધીમાં, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાંથી 12 આતંકવાદીઓને જીવતા પકડ્યા, જ્યારે 165 માર્યા ગયા હતા.