મુંબઈઃ અભિનેત્રી નેહા પેંડસેના ઘરમાંથી 6 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. ચોરી અંગે પોલીસને અભિનેત્રીના પતિના ડ્રાઈવરે જાણ કરી હતી. પોલીસે આ મામલામાં FIR નોંધી તપાસ આરંભી છે. નેહા પેંડસેના પતિ શાર્દુલ સિંહના ડ્રાઈવર રત્નેશ ઝાએ જણાવ્યું હતું કે, ચોરી બાંદ્રા પશ્ચિમમાં એરેટો બિલ્ડિંગના 23માં માળે તેમના ફ્લેટમાં થઈ છે. દાગીનાની કિંમત 6 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
ફરિયાદમાં રત્નેશ ઝા એ કહ્યું હતુ કે, 28 ડિસેમ્બરે શાર્દૂલને તેમણે કહ્યું હતુ કે ચાર વર્ષ પહેલા લગ્નમાં ભેટમાં મળેલી એક સોનાનું બ્રેસલેટ અને હીરા જડેલી વીંટી ગુમ થઈ ગઈ છે. શાર્દૂલ ખાસ કરી ને આ દાગીના બહાર પહેરતો હતો અને ઘરે પાછા આવ્યા પછી ઘરના નોકર સુમિત કુમાર સોલંકીને આપી દેતો, જેણે તેને બેડરૂમના કબાટમાં મૂક્યા હતા. સુમિત અન્ય ઘરેલૂ નોકરો જોડે કોમ્પલેક્ષમાં રહેતો હતો. ઘટનાના દિવસે શાર્દૂલ બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમણે કબાટમાંથી દાગીના ગાયબ હોવાની ખબર પડી હતી. ઘરના બધા નોકરોને પૂછપરછ કર્યા પછી પણ ગાયબ સામાન વિશે કોઈને કઈ જાણકારી મળી ન હતી. એ સમયે નોકર સુમિત ઘરે ન હતો અને સંપર્ક કર્યો તો તે કોબાલામાં તેના માસીના ઘરે હોવાનો દાવો કર્યા હતો જો કે, પૃચ્છા કરતા સુમિતે દાગીના કબાટમાં મુક્યાનું કહ્યું હતું. જ્યારે શાર્દૂલે તેની તપાસ કરી પણ દાગીના ક્યાય મળ્યા ન હતા. સુમિત પર શંકા હોવાથી શાર્દૂલે તેને તરત જ ઘરે આવવાનું કહ્યું, પણ સુમિતે ઘરે આવવામાં વાર કરી હતી. જેથી શાર્દૂલે શંકાના આધારે ફરિયાદ કરવા તાકીદ કરી હતી. જેથી ડ્રાઈવર રત્નેશ ઝા એ બાંદ્રા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલામાં નોકર સુમિતની ધરપકડ કરી, પણ ચોરી કરેલા દાગીના અત્યાર સુધી મળ્યા નથી.