1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટક: મેંગલોરમાં છરીના હુમલાથી યુવકનું મોત,વિસ્તારમાં કલમ 144 લાગુ
કર્ણાટક: મેંગલોરમાં છરીના હુમલાથી યુવકનું મોત,વિસ્તારમાં કલમ 144 લાગુ

કર્ણાટક: મેંગલોરમાં છરીના હુમલાથી યુવકનું મોત,વિસ્તારમાં કલમ 144 લાગુ

0
Social Share
  •  23 વર્ષીય યુવકની કરવામાં આવી હત્યા
  • છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ
  • વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી  

મેંગ્લોર:કર્ણાટકના મેંગ્લોરમાં બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની હત્યા બાદ મુસ્લિમ યુવક પર હુમલાની ઘટના સામે આવી છે.યુવકની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ હુમલો દક્ષિણ કન્નડ વિસ્તારમાં થયો છે.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે,તેઓ યુવક અને હુમલાખોરો વિશે શોધી રહ્યા છે. જોકે પોલીસે હુમલા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની વાતને નકારી કાઢી છે.તે જ સમયે, મેંગલોર કમિશ્નરે કહ્યું છે કે,ટૂંક સમયમાં હુમલાનો હેતુ જાણવામાં આવશે અને હુમલાખોરોની ધરપકડ કરવામાં આવશે.

પોલીસ કમિશનર એન શશિ કુમારે જણાવ્યું હતું કે,28 જુલાઈના રોજ રાત્રે લગભગ 8 વાગ્યે, 23 વર્ષીય ફાઝિલ પર 4-5 લોકોએ સુરથકલના કૃષ્ણપુરા કટિપલ્લા રોડ પાસે ક્રૂર હુમલો કર્યો હતો.  યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ કમિશનરે કહ્યું- સુરથકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.આ સિવાય સુરથકલ, મુલ્કી, બાજપે, પનામ્બુરમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો મોઢું ઢાંકીને આવ્યા હતા. આવતાની સાથે જ તેણે ફાઝીલને માર મારવાનું શરૂ કર્યું. જેના કારણે પીડિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે સીસીટીવીમાં આરોપીઓના ચહેરા ઢંકાયેલા જોવા મળી રહ્યા છે, ટૂંક સમયમાં તેમની ઓળખ થઈ જશે.

શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સુરથકલ, પનામ્બુર, મુલ્કી અને બાજપે વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી છે. તે જ સમયે, સુરથકલના ન્યુ માર્કેટ રોડ પરની ઘટના પછી, શુક્રવારે સુરથકલ, મુલ્કી, પાનબુર અને બાજપે વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કમિશનરેટની હદમાં આવતી તમામ દારૂની દુકાનો આજે બંધ રહેશે. દરેક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તમામ મુસ્લિમ નેતાઓને તેમના ઘરે નમાઝ અદા કરવા વિનંતી કરી છે. ન્યાય ઝડપથી અને નિષ્પેક્ષ રીતે કરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code