1. Home
  2. ગુજરાતી
  3. ખાદી જન ભાવનાનું શક્તિશાળી પ્રતીક બનીઃ  PM મોદી
ખાદી જન ભાવનાનું શક્તિશાળી પ્રતીક બનીઃ  PM મોદી

ખાદી જન ભાવનાનું શક્તિશાળી પ્રતીક બનીઃ  PM મોદી

0
Social Share

 નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં ખાદીના વેચાણમાં થયેલા વધારાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ આંકડા દર્શાવે છે કે ખાદી કેવી રીતે જન ભાવનાનું મજબૂત પ્રતીક બની ગઈ છે. ‘X’ પર ખાદી ઈન્ડિયાદ્વારા શેર કરવામાં આવેલી માહિતી પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને આ વાત કહી હતી.

ખાદીના ઈતિહાસમાં પહેલીવાર ખાદી ઈન્ડિયાએ એક પોસ્ટમાં દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત ખાદી ભવનમાં એક દિવસમાં 1.52 કરોડ રૂપિયાના વિક્રમી વેચાણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, દેશવાસીઓ લોકલ માટે વૉકલ બની ગયા છે, અને ખાદીને ઘર-ઘરથી પ્રેમ મળી રહ્યો છે. ખાદી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “ખાદીના સંરક્ષક, પૂજ્ય બાપુના વારસા અને નવા ભારતની આધુનિક ખાદીના આર્કિટેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરે મન કી બાતકાર્યક્રમમાં લોકોને ગાંધી જયંતિ પર ખાદી ખરીદવા વિનંતી કરી હતી. પરિણામે, ખાદીના ઈતિહાસમાં પહેલીવાર, દિલ્હીના કનોટ પ્લેસમાં ખાદી ભવનખાતે એક જ દિવસમાં 1.52 કરોડ રૂપિયાનું વિક્રમી વેચાણ થયું છે. આ અંગે ટિપ્પણી કરતાં વડાપ્રધાને કહ્યું કે, “ દેશભરના પરિવારોએ ખાદીની ખરીદી કરી છે. ખરીદીનો નવો રેકોર્ડ દર્શાવે છે કે તે કેવી રીતે જાહેર ભાવનાનું શક્તિશાળી પ્રતીક બની ગયું છે. મને વિશ્વાસ છે કે ખાદી પ્રત્યેનો આ જુસ્સો દરરોજ નવા રેકોર્ડ બનાવતો રહેશે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને નવી તાકાત આપશે.

વડાપ્રધાન મોદીએ અનેકવાર વિવિધ માધ્યમો દ્વારા ખાસ કરીને યુવાનોને ખાદી ખરીદવાની અપીલ કરી છે. ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ચેન્જના સૂત્ર સાથે તેને અપનાવીને ખાદીને લોકપ્રિય બનાવવા અને ખાદીનું ઉત્પાદન અને વેચાણ વધારવાના દરેક સંભવિત પ્રયાસોની તેમણે વારંવાર પ્રશંસા કરી છે. તાજેતરમાં, ગાંધી જયંતિ નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ખાદી સ્ટોરની મુલાકાત લીધી હતી અને ત્યાંથી ખાદી ઉત્પાદનોની ખરીદી કરી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code