1. Home
  2. ગુજરાતી
  3. કિચન ટિપ્સઃ તળેલું તેલ ફરીથી ખોરાકમાં નથી વાપરવું તો તેનાથી ઘરની શોભામાં કરો વધારો
કિચન ટિપ્સઃ તળેલું તેલ ફરીથી ખોરાકમાં નથી વાપરવું તો તેનાથી ઘરની શોભામાં કરો વધારો

કિચન ટિપ્સઃ તળેલું તેલ ફરીથી ખોરાકમાં નથી વાપરવું તો તેનાથી ઘરની શોભામાં કરો વધારો

0
Social Share
  • તળેલા તેલને દિવા બનાવવામાં કરો ઉપયોગ
  • ઘરના ખુણામાં સજાવો રંગીન દિવા
  • તળેલા તેલને પંખામાં આવતો અવાજ  દૂર કરવા વાપરો
  • જામ થયેલા બારી બારણા પર આ તેલનો ઉપયોગ કરવો

અનેક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એક વખત જે તેલમાં વસ્તુ તળાઈ ચૂકી હોય તે જ તેલને ફરીથી વાપરવામાં આવે તો શરીરને ઘણું નુકશાન થાય છે, અને આજની મોંઘવારીને જોતા આ તેલ ફેંકવું પણ શક્ય નથી, તો બને ત્યા સુધી તમે જ્યારે પણ કોી વસ્તુને તેળવા માટે કઢાઈમાં તેલ કાઢો છો તો તદ્દન માપસરનું જ તેલ લેવું જેથી તેલનો વધુ બગાળ ન થાય, તળેલું તેલ જો તમે ફરીથી ભોજનમાં ઉપયોગ કરવા માંગતા ન હોવ તો તમે આ તેલથી ઘરની સુંદરતા પણ વધારી શકો છો.આ સહીત તમે આ તેલના ઘણા બધા ઉપયોગ કરી શકો છો તો ચાલો જાણીએ આ તેલનો કંઈ રીતે ઉપયોગ કરી શકાય.

તળેલું તેલ જો તમારે બીજી વખત ખાવામાં ઉપયોગમાં નથી લેવું તો આ તેલને માટીના કોળીયામાં ભરી દો, અને રાત્રીના સમયે જ્યારે તમે ભોજન કરવા બેસો છો ત્યારે ઘરની તમામ લાઈટ બંધ કરીદો અને ચારે બાજૂ આ દિવાની રોશનીમાં જમવા બેસો, કેન્ડલ લાઈટ ડિનરની મજા માણી શકશો અને તેમારું તેલ પણ વેસ્ટ નહી જાય.

આ સાથે જ જ્યારે સાંજ થવા આવે અને સુપર્ય આથમતો હોય અંઘારુ થવા આવ્યું હોય ત્યારે કોળીયામાં તેલ પુરીને આખા ઘરમાં કોળીયાથી અજવાળું કરી શકો છો જેનાથી તમારી ઘરની શોભામાં પમ વધારો થશે અને તેલનો ઉપયોગ પણ થઈ જશે.

જો તમારા ઘરમાં મચ્છરની સમસ્યા હોય તો જ્યારે તમે આ કોળીયા પ્રગટાવો છો ત્યારે તેમાં કપુરનો ભુખો નાખઈ દેવો જેથી તેના ઘુમાડાથી મચ્છર પણ દૂર થાય છે.

જો તમે ઘરને વધુ આકર્ષક બનાવવા માંગતા હોવ તો કાંચની રંગબેરંગી નાની મોટી બોટલમાં આ તેલને અડઘું અડઘું ભરીને દિવો બનાવો. ત્યાર બાદ તેને ઘરની અગાસીમાં અથવા તો ટેસેર પર પ્રગટાવીને સુંદરતામાં વધારો કરો, જેનાથી તમારા ઘરની શોભા બેગણી વધશે.

રાત્રીના ડિનરના ટાઈમ પર તમે રંગીન બોટલમાં દોરીની વાટ બનાવીને તેમાં તેલના ઉપયોગથી દિવો બનાવી કેન્ડલ તરીકે પણ તેનો પયોગ કરી શકો છો.

જો તમારા ઘરના લોંખડના દરવાજાઓ કટાી ગયા હોય અથવા સરખા બંધન થાય ત્યારે આ તળેલા તેલ વડે તેને પોતુ કરીલો જેથી કાંટ દૂર થશે અને દરવાજા સરખા બંધ થશે,

જો પંખામાં ખૂબ અવાજ આવતો હોય તો તમે આ તેલનો ઉપયોગ ગ્રિસ તરીકે કરી શકો છો,જેનાથી પંખો અવાજ કરતો બંધ થશે અને તેલનો સાચો ઉપયોગ પણ થશે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code