1. Home
  2. ગુજરાતી
  3. જાણો વસંતપંચમી વિશે, આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી શુભ મનાઈ છે
જાણો વસંતપંચમી વિશે, આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી શુભ મનાઈ છે

જાણો વસંતપંચમી વિશે, આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી શુભ મનાઈ છે

0
Social Share

આવતી કાલે  એટલે કે 26મી જાન્યુઆરીએ વસંત પંચમીની આવી રહી છે. ઘાર્મિક માન્યતાઓ પ્રમાણે વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીને સમર્પિત હોય છે. સરસ્વતી માને વિદ્યા અને સંગીતની દેવી કહેવામાં આવે છે. જે લોકો સરસ્વતી માની પૂજા કરે છે, દર વર્ષે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પાંચમી તારીખે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર સરસ્વતી મા તેમને શિક્ષણનું વરદાન આપે છે અને જીવનમાં સફળતાના દ્વાર પણ ખોલે છે. ધાર્મિક માન્યતાઓના આધારે કેટલીક એવી વસ્તુઓ છે જેને વસંત પંચમીના દિવસે ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માન્યતા અનુસાર, બસંત પંચમીના દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે. આ પછી દેવી સરસ્વતીની પૂજા કરીને દિવસની શરૂઆત કરવામાં આવે છે. મા સરસ્વતીને ભોગ ચઢાવવામાં આવે છે, પીળા ફૂલ ચઢાવવામાં આવે છે અને સરસ્વતી મંત્ર ‘ઓમ વાગદૈવ્યાય ચ વિદ્મહે કામરાજય ધીમહિ, તન્નો દેવી પ્રચોદાયત’ નો જાપ કરવામાં આવે છે.આમ કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા મળે છે.

આ દિવસે પીળા રંગના ફૂલ અથવા પીળા રંગના ફૂલોની માળા ઘરે લાવી શકાય છે. દેવી સરસ્વતીને પીળા રંગના ફૂલ ચઢાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પર પીળા ફૂલોની દોરીથી પણ ઘરને સજાવી શકાય છે.

માતા સરસ્વતીની પ્રતિમામાં તેમના હાથમાં સંગીતનાં સાધનો સ્પષ્ટપણે દેખાય છે. દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કોઈપણ વાદ્યને ઘરે લાવી શકાય છે. જો તમે અથવા પરિવારના કોઈપણ સભ્ય કોઈપણ પ્રકારનું વાદ્ય વગાડતા હોવ તો આ દિવસ નવું વાદ્ય ખરીદવા માટે શુભ છે.

મા સરસ્વતીની મૂર્તિ લાવવા માટે વસંત પંચમીનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરના ઈશાન કોનમાં મા સરસ્વતીની કોઈપણ તસવીર કે મૂર્તિ રાખી શકાય છે. એવું કહેવાય છે કે આનાથી ઘરના બાળકો પર સારી અસર પડે છે અને વાંચન-લેખનમાં વધારો થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code