1. Home
  2. Agency
  3. News
  4. VIDEO: ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર બે જ વખત ટ્રેન આવે છે, જાણો
VIDEO: ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર બે જ વખત ટ્રેન આવે છે, જાણો

VIDEO: ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર બે જ વખત ટ્રેન આવે છે, જાણો

0
Social Share

પંજાબ, 25 માર્ચ, 2026 – ભારતમાં જ્યાં એક તરફ રેલવે સ્ટેશનો પર દરરોજ સેંકડો ટ્રેનોની અવરજવર રહે છે, ત્યાં એક એવું સ્ટેશન પણ છે જ્યાં આખા વર્ષમાં માત્ર 2 જ વાર ટ્રેન પહોંચે છે. આ અનોખું સ્ટેશન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં છે.

શું છે બાબત અને ક્યાં આવેલું છે આ અનોખું સ્ટેશન?

આ સ્ટેશન પંજાબના ફિરોઝપુર અને હુસૈનીવાલા બોર્ડર વચ્ચે આવેલું ‘હુસૈનીવાલા રેલવે સ્ટેશન’ છે. આ રેલવે લાઇનનું તે છેલ્લું સ્ટેશન છે, જ્યાંથી આગળ કોઈ ટ્રેન જતી નથી. આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે અહીં ટ્રેન વર્ષમાં માત્ર બે જ વાર આવે છે. પહેલી વાર- 23 માર્ચે અને બીજી વાર- 13 એપ્રિલે (વૈશાખીના દિવસે). બાકી આખું વર્ષ આ સ્ટેશન સૂમસામ રહે છે.

કેમ 23 માર્ચ?

23 માર્ચને ભગતસિંહનો શહીદી દિવસ છે. આ દિવસે દેશભરમાંથી લોકો હુસૈનીવાલા બોર્ડર પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચે છે. આ જ કારણસર આ ખાસ પ્રસંગે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે.

જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Inderjit Singh (@_northern_vlogger)

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ સ્ટેશન પર ઊભેલી ટ્રેન પાસે ઊભો રહીને જણાવે છે કે આ એ જ ખાસ ટ્રેન છે જે વર્ષમાં માત્ર બે વાર ચાલે છે. તે સ્ટેશન અને રેલવે ટ્રેક પણ બતાવે છે, જ્યાં સ્પષ્ટ દેખાય છે કે આ લાઇન અહીં જ પૂરી થઈ જાય છે. ટ્રેન તે જ દિશામાં પાછી ફરે છે જ્યાંથી તે આવી હોય છે.

લોકોની પ્રતિક્રિયા

વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે સૂચવ્યું કે સ્ટેશનનું નામ બદલીને ભગતસિંહના નામ પર રાખવું જોઈએ, જે એક વાજબી માંગ ગણી શકાય. કેટલાક લોકોએ ગર્વ વ્યક્ત કર્યો કે તેઓ આ જ વિસ્તારના વતની છે. ઘણા યુઝર્સે આ ટ્રેન વિશે વધુ માહિતી પણ માંગી હતી.

આ સ્ટેશન ભલે વર્ષના મોટાભાગના દિવસોમાં શાંત રહેતું હોય, પરંતુ તે આપણા દેશના ઇતિહાસ અને ક્રાંતિવીરોના બલિદાનના મહત્ત્વને જીવંત રાખે છે. આવા પ્રસંગો યુવા પેઢીમાં નવી ઊર્જાનો સંચાર કરે છે.

આ પણ વાંચોઃ રાંધણ ગેસ માટે LPG બાટલા બંધ થઈ જશે, જાણો સરકારી આદેશમાં શું કહ્યું છે?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code