1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વન નેશન વન ચલણ’ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે વાહનચાલકો સ્થળ પર દંડ ભરી શકશે,
ગુજરાતમાં વન નેશન વન ચલણ’ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે વાહનચાલકો સ્થળ પર દંડ ભરી શકશે,

ગુજરાતમાં વન નેશન વન ચલણ’ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે વાહનચાલકો સ્થળ પર દંડ ભરી શકશે,

0
Social Share

અમદાવાદઃ દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકોમાં ટ્રાફિકની સેન્સ કેળવાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એની જાગૃતિ માટે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઇ-ચલણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનના અમલથી વાહનચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઇ-ચલણ આપવામાં આવશે અને વાહનચાલકો આ ચલણ સ્થળ પર પણ ભરી શકશે. આ સાથે 135 દિવસ સુધીમાં ચલણ નહીં ભરનાર વાહનચાલક સામે કોર્ટ કાર્યવાહી કરશે.

ગુજરાતભરમાં 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઇ-ચલણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે  અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઇ-ચલણ આપવામાં આવતા હતા. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઇ-ચલણ આપશે. જેમાં વાહનચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે. જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ દંડ ભરી શકશે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યમાં રજિસ્ટ્રેશન ધરાવતું વાહન કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આ એપની મદદથી પોલીસ ઇ-ચલણ આપી શકશે. વાહન ચાલકોને ઇ-ચલણ મળ્યાના 90 દિવસમાં દંડ ભરી દેવો પડશે. જો આ સમયગાળામા ઇ-ચલણ ન ભરાય તો તે ચલણ 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધી દંડ ભરવામાં નહીં આવે તો બાદમાં તે ચલણ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે. બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે-તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા પણ ફટકારી શકશે.

શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે, તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે. ઉપરાંત વાહનચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેંચી કે ટ્રાન્સફર નહીં કરી શકે. જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code