1. Home
  2. ગુજરાતી
  3. ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા
ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા

ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા

0
Social Share
  • ત્રિપુરામાં ભૂકંપના આંચકા 
  • 3.8 ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ જાનહાની કે નુકસાની નહીં 

દિલ્હી :ત્રિપુરામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.8 નોંધાઈ છે.જોકે હળવા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

મળતી માહિતી મુજબ,ત્રિપુરાના ખોવાઈમાં સોમવારે બપોરે 3.34 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી.

આ પહેલા મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

હજુ ગઈકાલે જ ગુજરાતના કચ્છમાં બપોરે 1.19 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ હતું. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલુ છે.આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code