1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ આઝમગઢમાં અખિલેશ યાદવની જનસભામાં કાર્યકરોનો હંગામો, ભારે પથ્થરમારો થયો
લોકસભા ચૂંટણીઃ આઝમગઢમાં અખિલેશ યાદવની જનસભામાં કાર્યકરોનો હંગામો, ભારે પથ્થરમારો થયો

લોકસભા ચૂંટણીઃ આઝમગઢમાં અખિલેશ યાદવની જનસભામાં કાર્યકરોનો હંગામો, ભારે પથ્થરમારો થયો

0
Social Share

નવી દિલ્હીઃ દેશના હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢ જિલ્લાની લાલગંજ લોકસભા સીટના ઉમેદવાર દરોગા પ્રસાદ સરોજના સમર્થનમાં પ્રચાર કરવા ગયા હતા. અખિલેશ યાદવની જાહેરસભામાં નાસભાગ મચી ગઈ હતી. જનસભા દરમિયાન ઈંટો અને પથ્થરો ફેંકવામાં આવ્યા અને ખુરશીઓ ફેંકવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, લાલગંજ લોકસભા બેઠક પરથી દરોગા પ્રસાદ ચૂંટણી લડી રહ્યા છે. મંગળવારે અખિલેશ યાદવ તેમના સમર્થનમાં પ્રચાર કરવા સરયમીર પોલીસ સ્ટેશન વિસ્તારના ખરેમા બજાર પહોંચ્યા હતા. અખિલેશ યાદવ સ્ટેજ પર પહોંચતા જ સપાના કાર્યકરો બેકાબૂ બની ગયા અને બેરિકેડ તોડીને અખિલેશ યાદવના મંચ તરફ જવા લાગ્યા હતા. પોલીસે કાર્યકરોને કાબૂમાં લેવા લાઠીનો ઉપયોગ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ લોકોએ જોરદાર રીતે ઈંટો, પથ્થરો અને ખુરશીઓ ફેંકી હતી.

આ ઉપરાંત રવિવારે ફુલપુર લોકસભા સીટ પર અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની સંયુક્ત જાહેર સભા હતી. જો કે, જાહેર સભામાં હોબાળો થયો હતો. કાર્યકર્તાઓ બેરિકેડ તોડીને અખિલેશ અને રાહુલના સ્ટેજ તરફ જવા લાગ્યા હતા. કાર્યકરોને શાંત રહેવા વારંવાર અપીલ કરવામાં આવી હતી. જો કે, અંધાધૂંધીના કારણે અખિલેશ અને રાહુલે પોતાનું ભાષણ થોડા સમય માટે સમાપ્ત કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code