1. Home
  2. ગુજરાતી
  3. યમુનોત્રી નેશનલ હાઈવે દૂર્ઘટના – પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દૂખ વ્યક્ત કર્યુ – મૃતકોના પરિવાર માટે સહાયની કરી જાહેરાત
યમુનોત્રી નેશનલ હાઈવે દૂર્ઘટના – પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દૂખ વ્યક્ત કર્યુ – મૃતકોના પરિવાર માટે સહાયની કરી જાહેરાત

યમુનોત્રી નેશનલ હાઈવે દૂર્ઘટના – પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દૂખ વ્યક્ત કર્યુ – મૃતકોના પરિવાર માટે સહાયની કરી જાહેરાત

0
Social Share
  • યમુનોત્રી નેશનલ હાઈવે પર  દૂર્ઘટના
  • બસ ખીણમાં ખાબકતા  26  યાત્રીઓના મોત

દિલ્હીઃ- ઉત્તરાખંડના યમુનોત્રી હાઈવે પર વિતેલા દિવસને રવિવારની સાંજે એક દર્દનાક દૂર્ઘટના સર્જાય હતી. અહીં ડામટા વિસ્તાર પાસે એક બસ ઉંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 મુસાફરોના મોત થયા હતા જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને દમતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણકારી પ્રમાણે ત્યાર સુધીમાં 26 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે  આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કાર્ય ચાલુ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચી ગયા છે. તેમણે ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.

જાણકારી પ્રમાણે બસ હરિદ્વારથી નીકળી હતી. ડ્રાઇવર અને કંડક્ટરની સીટ સિવાય, બસમાં 28 મુસાફરો બેસી શકે છે. તમામ મુસાફરો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ સ્ટેશન પુરોલા અશોક કુમારે જણાવ્યું હતું કે 26 ચારધામ મુસાફરોથી ભરેલી બસ રવિવારે સાંજે 7 વાગ્યેને 45 કલાકે 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે જ્યારે ચાર ઘાયલ થયા છે. 

પીએમ મોદીએ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો

અકસ્માત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને  સહાયની જાહેરાત કરી હતી. આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ સાથે જ મૃતકના પરિવારોને 2 2 લાખની સહાય આપવાની દજાહેરાત પમ કરવામાં આવી છે.

પીએમઓએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. પીએમઓએ એક ટ્વિટમાં લખ્યું છે કે પીએમ મોદીએ ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો અને ઘાયલોને વળતરની જાહેરાત કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે-બે લાખ રૂપિયા અને ઘાયલોની સારવાર માટે પચાસ હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સીએમ પુષ્કર સિંહ ધામી સાથે પણ અકસ્માત અંગે વાત કરી છે. શાહે ટ્વીટ કર્યું કે તેમણે સીએમ ધામી સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમ પણ પહોંચી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code