1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તર-પૂર્વમાં અવકાશી આફતઃ 188 જિલ્લામાં જનજીવન ખોરવાયું, અત્યાર સુધીમાં 574 લોકોના મૃત્યુ
ઉત્તર-પૂર્વમાં અવકાશી આફતઃ 188 જિલ્લામાં જનજીવન ખોરવાયું, અત્યાર સુધીમાં 574 લોકોના મૃત્યુ

ઉત્તર-પૂર્વમાં અવકાશી આફતઃ 188 જિલ્લામાં જનજીવન ખોરવાયું, અત્યાર સુધીમાં 574 લોકોના મૃત્યુ

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ રાજ્યમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે, દેશની રાજધાની દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં વરસાદને કારણે ખરાબ હાલત છે. પૂરના કારણે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. દેશના 18 રાજ્યોના 188 જિલ્લાઓ વરસાદ અને પૂરની ઝપેટમાં છે અને જનજીવનને ભારે નુકસાન થયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 574 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 497 લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. વરસાદના કારણે 8644 પશુઓના પણ મોત થયા છે. 8815 ઘરોને નુકસાન થયું છે, જ્યારે 47,225 હેક્ટર પાક નાશ પામ્યો છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પહાડી રાજ્યના 12 જિલ્લાઓ વરસાદ અને પૂરથી પ્રભાવિત છે. હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 95 લોકોના મોત થયા છે. તેમજ 2 લોકો ગુમ છે, જ્યારે 99 લોકો ઘાયલ છે. 76 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 319 મકાનોનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. આ ઉપરાંત 471 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે.

પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારો હજુ પણ પાણી હેઠળ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે મંગળવારે વધુ છ મૃત્યુ નોંધાયા હતા, જેની સાથે છેલ્લા ત્રણ દિવસમાં કુલ મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. પંજાબમાં આઠ મૃત્યુ થયા છે, જ્યારે હરિયાણામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને રાજ્યોમાં બચાવ કાર્ય ચાલુ છે.

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જૂના રેલવે બ્રિજ પર નદીનું જળસ્તર 207.25 મીટર નોંધાયું હતું. યમુનાનું સૌથી વધુ પૂરનું સ્તર 207.49 મીટરની નજીક છે. યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ ઘરો ખાલી કરીને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે.

પૂર અને વરસાદને લઈને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ ભારતમાં એક રાજ્ય, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય,અરુણાચલ પ્રદેશ, ઉત્તર બંગાળ, સિક્કિમમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પૂર્વી રાજસ્થાન,પૂર્વી એમ.પી, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા,તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કોસ્ટલ કર્ણાટકમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code