Site icon Revoi.in

પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરાવશે

Social Share

નવી દિલ્હી: કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે નવી દિલ્હીમાં ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરશે. મંત્રાલયે માહિતી આપી કે, આ મહિના સુધી ચાલનારી ઝુંબેશ દેશભરમાં બે હજાર 500 શિબિરોમાં યોજાશે.

આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ચહેરા ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનરોના ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ ઝુંબેશ હેઠળ, બધા પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ પેન્શનરો, તેમની સુવિધા મુજબ સીમલેસ ડિજિટલ મોડ દ્વારા તેમના જીવન પ્રમાણપત્રો રજૂ કરી શકશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ આ મહિના સુધી ચાલનારા અભિયાન માટે તકનીકી સહાય પૂરી પાડશે.

Exit mobile version