1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો પખવાડિયામાં કરાશે
અમદાવાદમાં  પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો પખવાડિયામાં કરાશે

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો પખવાડિયામાં કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં નબળા વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના ગોતા, સોલા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં LIG પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો આગામી 15 દિવસમાં કરવામાં આવશે.  મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો બાકી હતો, જે ક્યારે કરવામાં આવશે? તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા પખવાડિયામાં મકાનોનો ડ્રો કરવા અંગે જણાવાયું હતું. જેથી હવે LIG (લો ઈન્કમ ગૃપ)ના  મકાનોનો ડ્રો થતાં અરજદારોને મકાનો ફાળવવામાં આવશે.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરમાં મ્યુનિ.દ્વારા  LIGના મકાનો બનીને તૈયાર છે, જેના ડ્રો કરવાનો બાકી છે. આ અંગે ગુરૂવારે મળેલી  સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી અને કમિશનરને આ ડ્રો કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. જેથી કમિશનરે કહ્યું હતું કે, આગામી 15 દિવસમાં આ તમામ મકાનોનો ડ્રો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 2000 જેટલા મકાનોનો ડ્રો કરવામાં આવશે. અને આ ડ્રો થયા બાદ લોકોને મકાન મળશે. અરજદારોને વહેલી તકે મકાનો ફાળવવામાં આવે તે રીતનું આયોજન કરવામાં આવશે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા બ્રિજ બનાવવા અગે પણ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં. શહેરના સૌથી વ્યસ્ત જંકશન એવા નરોડા અને વાડજ ચાર રસ્તા તેમજ સતાધાર ચાર રસ્તા પર બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. અંદાજે 600 કરોડથી વધુના ખર્ચે બનનારા આ ત્રણેય બ્રિજના ખાત મુહૂર્ત આગામી 15 મે પહેલા કરવામાં આવશે. આ ત્રણેય જંકશન પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી, આગામી ત્રણ વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં હવા પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે થઈ એએમસી દ્વારા વિવિધ કામગીરી માટે નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 2022-23ની ગ્રાન્ટમાંથી 71.25 કરોડ રુપિયાની ફાળવણી કરવાની દરખાસ્ત  સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી. જેનો વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના સત્તાધીશો અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા આપવામાં પ્રદૂષણ ઓછું કરવાની જરૂરી નક્કર કાર્યવાહી કરવી જોઇએ. એર કવોલીટી ઇન્ડેક્ષમાં કોઇ મહત્તમ સુધારો નથી થયો અને ૨કમ વેડફાઇ ગઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code