1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી યાકુબ મેમણની કબર મજારમાં ફેરવાઈ, પોલીસ હરકતમાં આવી
મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી યાકુબ મેમણની કબર મજારમાં ફેરવાઈ, પોલીસ હરકતમાં આવી

મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી યાકુબ મેમણની કબર મજારમાં ફેરવાઈ, પોલીસ હરકતમાં આવી

0
Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી યાકુબ મેમણને ફાંસીની સજા આપવામાં આવી હતી. દરમિયાન હવે તેની કબરને મજારમાં ફેરવવાની સાથે લાઈટીંગ કરવામાં આવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે લાઈટીંગ હટાવીને તપાસ આરંભી છે. બીજી તરફ સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ દ્વારા સમગ્ર ઘટના અંગે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ કરીને પ્રજાની માફી માંગવા માંગણી કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર 1993ના બોમ્બ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની મુંબઈમાં કબરને મઝારમાં બદલવાનો ભાજપના ધારાસભ્ય રામ કદમે મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા રામ કદમે કહ્યું કે, જ્યારે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં સીએમ હતા, તે દરમિયાન યાકુબની કબરને મજારમાં ફેરવી દેવામાં આવી હતી. તેમણે પ્રશ્ન કર્યો કે શું આ મુંબઈ પ્રત્યેનો પ્રેમ અને દેશભક્તિ છે? તેમણે શરદ પવાર, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેને આ અંગે દેશની માફી માંગવા કહ્યું છે. યાકુબને સાત વર્ષ પહેલા 2015માં નાગપુર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

દરમિયાન, મુંબઈના બડા કબ્રસ્તાનમાં યાકુબ મેમણની કબર પરની લાઇટિંગની વ્યવસ્થા દૂર કરવામાં આવી હતી. યાકુબ મેમણના મૃતદેહને મુંબઈના મરીન લાઈન્સ રેલવે સ્ટેશનની સામે આવેલા મોટા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. તેને મુંબઈ વિસ્ફોટો માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. હવે તેમની કબરને મજારનું સ્વરૂપ આપવાને લઈને હોબાળો થયો છે. ભાજપના ધારાસભ્ય કદમે આ પર નિશાન સાધ્યું છે પરંતુ મહાવિકાસ અધિના નેતાઓ.

મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે, કબરને મજારનું સ્વરૂપ કોણે આપ્યું અને કોના કહેવા પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી. એવું કહેવાય છે કે માર્ચમાં શબ-એ-બરાત દરમિયાન યાકુબની કબરને રોશની કરવામાં આવી હતી. ભાજપનો આરોપ છે કે, ઉદ્ધવ ઠાકરે સીએમ હતા ત્યારે કબરને મજારમાં બદલવાનું કામ કરવામાં આવ્યું હતું. બીજી તરફ VHPએ માંગ કરી છે કે, યાકુબ મેમણની આખી કબર તોડી નાખવામાં આવે. આતંકવાદીની કબર પર લાઇટ લગાવવી એ આતંકવાદને ટેકો આપવા સમાન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code