1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે, અનેક નવા આકર્ષણો ઉમેરાશે
અમદાવાદમાં મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે, અનેક નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદમાં મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે, અનેક નવા આકર્ષણો ઉમેરાશે

0
Social Share

અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રિવર ફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતના ફ્લાવર શોમાં અનેક નવીન  આકર્ષણો ઉમેરવામાં આવશે. ફ્લાવર શો જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. છેલ્લા બે વર્ષથી ફ્લાવર શોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એએમસીને  ખર્ચની સામે આવક વધુ થાય છે. વર્ષ 2023માં યોજાયેલો ફ્લાવર શો જોવા માટે દસ લાખ લોકો આવ્યા હતા. ફ્લાવર શો પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3.40 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની સામે કોર્પોરેશનને 4 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ચાલુ વર્ષે ફ્લાવર શો જોવા 15થી 20 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2015થી દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે.  વર્ષ 2015થી 2023 સુધીમાં એએમસીને ફ્લાવર શો પાછળ અંદાજે 12.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, તેની સામે અંદાજે 9.38 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2021 અને 2022માં કોરોનાને પગલે ફ્લાવર શોનુ આયોજન કરવામાં આવ્યું નહોતું. 2015થી 2023 દરમિયાન કુલ 53થી 57 લાખ જેટલા લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે ગત વર્ષે કરાયેલા ફ્લાવર શોમાં લોકોની એટલી ભીડ ઉમટી પડી હતી કે દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2024ના જાન્યુઆરીમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શો પાછળ અંદાજે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ વખતના ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિતના સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. ફ્લાવર શોમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે ટિકિટ દર 75 રૂપિયા રાખવામાં આવશે. આમ મોંઘી ટિકિટ ખરીદીને પણ શહેરીજનો ફ્લાવર શો નિહાળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code