1. Home
  2. ગુજરાતી
  3. ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર
ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર

ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર

0
Social Share

બેંગ્લુરુઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની મુલાકાત લીધી હતી અને લગભગ 1,800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે; મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું ‘સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ અને VSSC, તિરુવનંતપુરમ ખાતે ‘ટ્રાઈસોનિક વિન્ડ ટનલ’નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ ગગનયાન મિશન માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી અને ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રી-નિયુક્તિઓના નામ જાહેર કર્યા. જેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત દરમિયાન અવકાશયાત્રી-નિયુક્તોને અવકાશયાત્રી પાંખો પણ આપી હતી. ગગનયાન મિશન એ ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે જેના માટે ISROના વિવિધ કેન્દ્રો પર વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 2035 સુધીમાં ભારતનું અવકાશમાં તેનું સ્પેસ સ્ટેશન હશે જે આપણને અવકાશના અજાણ્યા વિસ્તરણનો અભ્યાસ કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, અમૃત કાલના આ સમયગાળામાં ભારતીય અવકાશયાત્રીઓ આપણા રોકેટ દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે. પ્રધાનમંત્રી  મોદીએ કહ્યું, અવકાશ ક્ષેત્રમાં ભારતની સફળતા દેશની યુવા પેઢીમાં વૈજ્ઞાનિક સ્વભાવના બીજ વાવી રહી છે. કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરન સાથે નરેન્દ્ર મોદીએ VSSC ખાતે પ્રદર્શિત વિવિધ ISRO પ્રોજેક્ટ્સનું નિરિક્ષણ કર્યું હતુ,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code